SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૮ જિનમાર્ગનું અનુશીલના પંન્યાસ શ્રી ભાનવિજયજી ગણીના શિષ્ય મુ. શ્રી જિતેન્દ્રવિજયજીના શિષ્ય થાય છે. મૂળ ગ્રંથ ૨૭૧ પ્રાકૃત ગાથાનો છે અને સંસ્કૃત ટીકા ૭૨૫૦ શ્લોક-પ્રમાણ છે. વિષયની સમજૂતી માટે પુસ્તકમાં સંખ્યાબંધ ચિત્રો અને યંત્રો આપવા ઉપરાંત ગ્રંથના અંતે મૂળ ગાથાઓનો ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. પદાર્થસંગ્રહકાર તરીકે ત્રણ મુનિવરોએ આ ગ્રંથની રચનામાં સહાયતા કરી છે, અને ગ્રંથનું સંશોધન પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયોદયસૂરિજીએ તથા પદાર્થ-સંગ્રહકાર મુનિવર્યોએ કરેલ છે. ક્ષપકશ્રેણી એ આત્મવિકાસની અનુપમ શ્રેણી છે; એ માર્ગે જ આત્મા પોતાના અંતિમ સાધ્ય મહાનિર્વાણ કે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. જૈન ધર્મના કર્મતત્ત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખીને એની શાસ્ત્રીય પરિભાષામાં આ વસ્તુનું વિસ્તૃત નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ‘ઠિઇબંધો' (સ્થિતિબંધ) ગ્રંથના મૂળના કર્તા છે મુનિરાજ શ્રી વીરશેખરવિજયજી. તેઓ પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરિજીના શિષ્ય પંન્યાસ શ્રી હેમંતવિજયજી ગણીના શિષ્ય મુનિશ્રી લલિતવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી રાજશેખરવિજયજીના શિષ્ય છે. મૂળ ગ્રંથપ્રમાણ ૮૭૬ પ્રાકૃત ગાથાઓ જેટલું છે. આ ગ્રંથના ટીકાકાર છે મુનિરાજ શ્રી જગચંદ્રવિજયજી. તેઓ પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરિજીના શિષ્ય પંન્યાસ શ્રી ભાનુવિજયજી ગણીના શિષ્ય સ્વર્ગસ્થ પંન્યાસ શ્રી પદ્મવિજયજી ગણીના શિષ્ય છે. તેઓએ સંસ્કૃતમાં રચેલ ટીકા વીસ હજાર શ્લોકપરિમાણ છે. વિષયની સમજૂતી માટે આમાં પણ અનેક યંત્રો અને શરૂઆતમાં ગુજરાતીમાં સારરૂપે ‘વિષય-પરિચય આપવામાં આવેલ છે. પદાર્થ-સંગ્રહકાર તરીકે બે મુનિવરોએ આમાં સહાયતા કરી છે, અને ગ્રંથનું સંશોધન પૂજ્ય આચાર્ય શ્રી વિજયજંબૂસૂરિજી તથા પદાર્થસંગ્રહકાર મુનિવરોએ કર્યું છે. આત્મા સાથે બંધાયેલું કર્મ કેટલા કાળ સુધી આત્માને વળગી રહે છે એ વિષયનું શાસ્ત્રીય નિરૂપણ આ ગ્રંથનો મુખ્ય વિષય છે. આ બંને ગ્રંથોના પ્રેરક, માર્ગદર્શક અને સંશોધક છે વયોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ પૂજય આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી. આ ગ્રંથોનો પ્રકાશન-સમારંભ તા. ૩૦-૧૦-૧૯૬૬ના રોજ અમદાવાદમાં ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં ઊજવાયો હતો. આ પ્રસંગ નિમિત્તે યોજાયેલું, કર્મસાહિત્ય અને કર્મતત્ત્વજ્ઞાનની તેમ જ જૈન સાહિત્યની વિપુલ સામગ્રીની માહિતી આપતું, ગ્રંથો, ચિત્રો, યંત્રો તથા અન્ય આનુષંગિક વસ્તુઓનું મોટું પ્રદર્શન તા. ૨૯-૧૦-૧૯૬૬ના રોજ છ દિવસ માટે ખુલ્લું મુકાયું હતું. ગ્રંથપ્રકાશનનો સમારંભ વિશેષે કર્મસાહિત્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy