SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૩ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો: સમીક્ષા : ૪ આ હરિભદ્રની એક અનોખી સૂઝનો સચોટ પુરાવો છે, અને ભારતીય દર્શન સાહિત્યના ઇતિહાસમાં પણ એ એક વિશિષ્ટ રચના બની રહે છે.” આ હરિભદ્રસૂરિની સમન્વયસાધક દૃષ્ટિ માટે પ્રસ્તાવનામાં કહેવાયું છે : “આ હરિભદ્ર પહેલાં અનેક શતાબ્દીઓ થયાં જુદીજુદી સાધકપરંપરાઓમાં યોગવિષયક સાહિત્યનું નિર્માણ તો થયું છે, અને તેમના પછી પણ પુષ્કળ રચાયું છે, તે બધું મૂલ્યવાનું પણ છે. પરંતુ અમે જાણીએ છીએ ત્યાં લગી કોઈ પણ સાધકે આ હરિભદ્ર જેવું તુલનાત્મક અને સમન્વયપ્રધાન યોગસાહિત્ય રચ્યું નથી. તેથી જ આપણે ભારતીય સંસ્કૃતિમાં તેમના વિશિષ્ટ ફાળા અંગે એટલું કહી શકીએ કે તેઓ જેમ તત્ત્વચિંતનની બાબતમાં તેમ યોગની બાબતમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.” (પૃ. ૬૫). આ રીતે આ હરિભદ્ર, યોગ, અધ્યાત્મ અને એની સાથે સંબંધ ધરાવતી અનેક બાબતોની આ પ્રસ્તાવનામાં જેવી તલસ્પર્શી અને મર્મગ્રાહી છણાવટ કરવામાં આવી છે તે જોતાં આ પ્રસ્તાવનાને પણ એક નાનો-સરખો મૌલિક ગ્રંથ જ કહી શકાય. આ પુસ્તકની પ્રસ્તાવના, સમજૂતી, ટિપ્પણો, પરિશિષ્ટો જેમ વાચકને મૂળ વિષયને આત્મસાત્ કરવાની સરળતા કરી આપે છે, તેમ એ એનાં વિદુષી સંપાદિકાનાં વિશાળ વાચન, ઊંડા ચિંતન અને ધર્મગ્રાહી દૃષ્ટિની સાખ પૂરી પાડે છે. આ ગ્રંથ તૈયાર કરવામાં પોતાને પં. શ્રી સુખલાલજી, મુ. શ્રી પુણ્યવિજયજી, શ્રી રસિકલાલ પરીખ, શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરે અનેક વડીલો તેમ જ મિત્રોની અનેક પ્રકારની મદદ મળ્યાનો સ્વીકાર સંપાદિકાએ પોતે જ કર્યો છે. આમ છતાં તેમના પોતાનામાં મૂળભૂત શક્તિ ન હોય તો આવી મદદ વિશેષ લાભકારક ન થઈ શકે એ સમજી શકાય એવી વાત છે. એટલે આના અનુસંધાનમાં આ વિદુષી ભગિનીની વિદ્યાસાધનાનો થોડોક પરિચય મેળવવો રસપ્રદ અને ઉપયોગી થઈ પડશે. ડો. ઈન્દુકલાબહેન મૂળે સુરતનાં, પણ ઘણાં વર્ષોથી એમનું કુટુંબ મુંબઈમાં રહે છે અને તેઓ પોતે સાતેક વર્ષથી મોટે ભાગે અમદાવાદમાં રહે છે. તેમનું કુટુંબ ધાર્મિક સંસ્કારવાળું છે. એમના પિતાશ્રી શ્રી હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી દવાઓ તૈયાર કરવાનો ધંધો કરવા છતાં સાહિત્ય પ્રત્યે ખૂબ અભિરુચિ ધરાવે છે. એમણે કવિ ઉમ્મર ખય્યામની રબાયતોનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે, અને તે પ્રગટ પણ થયેલ છે. ઉપરાંત ગુજરાતી ભાષામાં કાવ્યમય “મહાવીરચરિત્ર'ની પણ એમણે રચના કરેલી છે, જે હજુ અપ્રગટ છે. ડો ઈન્દુકલા સને ૧૯૫૦માં સંસ્કૃત વિષય લઈને પ્રથમ વર્ગમાં એમ. એ. થયાં, અને ત્યાર પછી પં. શ્રી સુખલાલજી પાસે રહીને શ્રી રસિકભાઈ પરીખની દેખરેખ નીચે પીએચ.ડી.ના મહાનિબંધ માટે એમણે “સાંખ્ય અને જેને પરિમાણવાદનો તુલનાત્મક અભ્યાસ' એ બહુ કઠિન, જટિલ અને ખૂબ સૂક્ષ્મ વિચારણા માગી લે એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy