SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૦ કે ઈષ્ય-અસૂયાની કઠોર વૃત્તિ તો હોય જ નહીં. ઊલટું, એનું કરુણાયુક્ત હૃદય બીજાનું દુઃખ જોઈને એને દૂર કરવાના પોતાથી બનતા બધા પ્રયત્નો કર્યા વગર રહી શકે જ નહીં. આ રીતે વિશ્વને ધર્મભાવનાના અમૃતની ભેટ મળેલી હોવા છતાં, માનવીના અંતરમાં રહેલ ક્લેશ-દ્વેષની આસુરી વૃત્તિરૂપ મલિનતાને લીધે, દુનિયા વેર-ઝેર, ક્લેશકંકાસ અને ઈષ્ય-અસૂયાથી નીપજતા સંતાપોથી મુક્ત નથી થઈ શકી. પરિણામે, સત્યુગ હોય કે કળિયુગ હોય, દુઃખ, દુઃખ આપનારા દાનવવૃત્તિના માનવીઓ અને દુઃખી-પીડિત અસહાય માનવસમૂહો અસ્તિત્વ ધરાવે જ છે. અને જ્યારે દુનિયામાં સ્થિતિ આવી છે, ત્યારે એક હાથ બીજા હાથની મદદ વગર કહ્યું દોડી જાય, એમ દીન-દુઃખીની મદદે દોડી જવું એ પ્રત્યેક માનવીની – ખાસ કરીને સુખી, સમૃદ્ધ શક્તિશાળી માનવીની – ફરજ બની જાય છે; ખરી રીતે આવી ફરજના પાલનની પાછળ આત્મસંતોષ મેળવવાની દૃષ્ટિ જ હોવી જોઈએ. અત્યારે જૈન સમાજની કે બીજા કોઈ સમાજની દષ્ટિએ કે પછી સમગ્ર માનવજાતની દષ્ટિએ વિચાર કરીએ તો અત્યારે કેટલાં બધાં દીન-દુઃખી માનવીઓ સહાયતાની અપેક્ષા રાખી રહ્યાં છે ! બાળકોને પૂરતું પોષણ મળતું નથી. દેશની સાચી દોલત અને સમાજની ઉજ્વળ આશા સમી ઊછરતી પેઢીને શિક્ષણના ખર્ચ માટે વલખાં મારવાં પડે છે. વિધવા, ત્યક્તા અને ગરીબ બહેનોની અસહાયતાનો કોઈ સુમાર નથી. શ્રીમંતાઈ કે મોટાઈ અને શ્રમ વચ્ચે માત્ર કલ્પી લીધેલા વિરોધને લીધે ઊજળાં ગણાતાં કુટુંબોમાં હજી પણ એક રળે અને સાત ખાય એવી નિષ્ક્રિયતા અને અસમયજ્ઞતા પ્રવર્તે છે. સ્થિતિ એટલી હદે નાજુક બની ગઈ છે કે ઘર કે ઘરેણાં વેચીને ગુજારો કરવાનો અને વ્યવહાર સાચવવાનો વખત આવ્યો છે ! અને ભાંગી રહેલી સંયુક્ત કુટુંબ-વ્યવસ્થાને કારણે વૃદ્ધોને સન્માનપૂર્વક સાચવવાનો અને મમતાથી એમનું પાલન કરવાનો પ્રશ્ન પણ વધુ ને વધુ જટિલ બનતો જાય છે. અત્યારે દેશ અને દુનિયામાં જે કારમી પરિસ્થિતિ પ્રવર્તે છે તે જોતાં એ પરેશાની અસહ્ય કે માનવીના ગજા બહારની થાય એવાં કેટલાંક અમંગળ એંધાણો કળાઈ રહ્યાં છે. આવી અત્યંત કારમી મુસીબતની સામે માનવી કેવી રીતે ટકી શકશે? આનો જવાબ સાફ છે : અત્યારે માનવજાતિને પરેશાન કરી રહેલી મુસીબતોના મોટા ભાગનું નિર્માણ માનવીએ પોતે જ કરેલું છે – ભલે પછી એ નિર્માણ સ્વાર્થપરાયણતા, સત્તાપ્રિયતા, અર્થલોલુપતા કે પરિણામોનો વિચાર કર્યા વગરની વિજ્ઞાનની શોધોરૂપ કહેવાતી પ્રગતિને કારણે થયું હોય. એટલે એ મુસીબતોનો મુખ્ય ઉપાય માનવીના અંતરમાં સુષુપ્ત બની ગયેલી માનવતાને જાગૃત કરવી એ જ છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy