SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 30 જિનમાર્ગનું અનુશીલન માનવીના અંતરમાં કર્તવ્યપરાયણતાની સાથોસાથ કરુણા જાગે અને બુદ્ધિની તર્ક-કુતર્કશીલતાનું સ્થાન સહૃદયતા અને સરળતા લે, તો માનવનું દાનવપણું દૂર થઈ દેવત્વ જાગે. પણ આ પ્રક્રિયા ન તો સહેલી છે કે ન તો ટૂંકી. પણ છેવટે તો સુખદુઃખની વહેંચણી કરવી, એ જ સમાજને સુખી બનાવવાની ગુરુચાવી છે. (તા. ૯-૧૦-૧૯૬૫) (૧૧) દેહદાનઃ શ્રેષ્ઠ દયાધર્મ દેહ વગર જીવન સંભવિત નથી. જીવનને સાર્થક બનાવવાના નાના-મોટા પ્રયાસો તો ઘણા માનવીઓ કરતા હોય છે, પણ મૃત્યુ પછી અહીં પડી રહેતા એ નિચેતન શરીરને સાર્થક કરવાની અગમચેતી દાખવવાનું તો કોઈક જાગૃત આત્માને જ સૂઝે છે. અને અત્યારે વિજ્ઞાનની નવી-નવી શોધોને લીધે જીવતા કે મૃત્યુ પામેલ એક માનવીનાં અંગ-ઉપાંગ બીજા અપંગ કે બીમાર માનવીને સશક્ત કે જીવિત બનાવવામાં ઘણાં ઉપકારક બની શકે છે એ વાતની જાણકારી જનસમૂહમાં વધતી જાય છે એ બહુ સારી વાત છે. આમ છતાં પોતાના મરણ બાદ પોતાની કાયાનાં જુદાં-જુદાં અંગ-ઉપાંગનો ઉપયોગ બીજાના ભલા માટે કરવામાં આવે એવી અગમચેતીભરી ગોઠવણ કરવામાં આપણે હજી ઘણા પછાત અને બેદરકાર છીએ – ભલે ને મરણ પછી દરેક દેહનું દહન કે દફન થયા વગર રહેતું નથી એ વાત આપણે જાણતા જ હોઈએ ! શ્રી રોબર્ટ એન. ટેસ્ટ નામે એક પરગજુ અને જાગૃત મનના મહાનુભાવે આવી અગમચેતી દાખવીને પોતાના મરણ પછી પોતાના શરીરના એકેએક અંગનો બીજાના ભલા માટે સદુપયોગ કરવાનું સૂચન કરતું વસિયતનામા જેવું જે લખાણ કરી રાખ્યું હતું, તે અમદાવાદથી પ્રગટ થતી “સેવા” નામે માસિક-પત્રિકાના ગત ડિસેમ્બર માસના અંકમાં ‘અમરતાનું વસિયતનામું એ નામે છપાયું છે. આ વિચારપ્રેરક લખાણ સૌએ મનન કરવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ : “એક દિવસે હૉસ્પિટલના કોઈ પલંગમાં, ધોળી દૂધ જેવી ચાદર નીચે મારો દેહ ઢંકાયો હશે. એવી ક્ષણે ડૉક્ટર આવી અભિપ્રાય આપશે કે મારા મગજે કામ નકાર્યું છે અને મારું જીવન પૂર્ણવિરામ પામ્યું છે. આવું જ્યારે બને, ત્યારે મારા શરીરમાં યંત્રની સહાયથી બનાવટી જીવન રેડશો નહીં. મારી શધ્યાને મૃત્યુશધ્યા ન લેખશો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy