SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ જિનમાર્ગનું અનુશીલન આમ આ ગ્રંથ કોઈ પણ શાસ્ત્રીય વિષયના ગ્રંથનો અનુવાદ કેવી રીતે કરવામાં આવે તો ગ્રંથ ઉપયોગી થઈ પડે એનો એક સુંદર નમૂનો પૂરો પાડે છે. પણ મંદિરસમા આ ગ્રંથ ઉપર સોનાનો કળશ તો ચઢાવે છે એ ગ્રંથની, બહુવિધ માહિતી અને પાંડિત્યપૂર્ણ વિવેચનથી સભર અને ચિંતનાત્મક ૧૪૪ પૃષ્ઠોની વિસ્તૃત પ્રસ્તાવના. એમ કહી શકાય કે આ કંઈ કોઈ ગ્રંથવિશેષની પ્રસ્તાવનામાત્ર નથી, પરંતુ એ પણ એક સ્વતંત્ર ગ્રંથ જ છે. મૂળ “ગણધરવાદ કે તેના અનુવાદથી અપરિચિત વ્યક્તિ પણ ભારે રસપૂર્વક વાંચી શકે એવી મૌલિક આ પ્રસ્તાવના છે. આ પ્રસ્તાવનામાં “ગણધરવાદમાં ચર્ચાયેલ આત્મા, કર્મ અને પરલોક જેવા ગહન વિષયોનું ઈતર દર્શનોની એ સંબંધીની માન્યતાની સાથે તુલનાત્મક સાધાર નિરૂપણ કરવામાં આવેલું હોવાથી આપણા મનમાં પરંપરાથી ઠસી ગયેલી કેટલીક ખોટી માન્યતાઓ દૂર થાય છે, અને તેથી કોઈ પણ દર્શનની તે-તે વિષયને લગતી સાચી માન્યતાની વધુ નજીક આપણે પહોંચી જઈએ છીએ. કોઈકોઈ વાર તો શબ્દોની સાઠમારીને લીધે, બધાને એકસૂત્રે બાંધતાં સત્ય-તત્ત્વથી આપણે કેવા વિમુખ બની જઈએ છીએ એ માટે આપણી પોતાની જાત પર જ આપણને હસવું આવે છે. મૂળ ગ્રંથ, ગ્રંથકાર, ગ્રંથકારની સાહિત્યસેવા, ટીકાકાર અને તેમની સાહિત્યસેવા, ગણધરો અને વિષય-નિરૂપણ – આટલી બાબતો પ્રસ્તાવનામાં ઠીકઠીક વિગતે રજૂ થઈ છે. અને તેમાં ય વિષયનિરૂપણમાં આત્મવિચાર, કર્મવિચાર અને પરલોકવિચારની ભૂમિકા અને તેનો ક્રમેક્રમે થતો વિકાસ તો એવી અદ્દભુત રીતે રજૂ કરવામાં આવ્યો છે કે તે વાંચતાં આપણે જાણે કોઈ ગ્રંથ નહીં, પણ ચિત્ર જ નિહાળતા હોઈએ એવો મનમાં આહૂલાદ થાય છે. આત્માના અસ્તિત્વથી શરૂ કરીને આત્માના સ્વરૂપ વિશેની. જુદાંજુદાં દર્શનોની કે તત્ત્વવેત્તાઓની માન્યતાઓ અને તેમાં ક્રમેક્રમે આવતું રહેલા પરિવર્તન પ્રસ્તાવનામાં એવી રોચક રીતે રજૂ કરવામાં આવ્યું છે કે જાણે કોઈ “આત્મા' સ્વયં આપણી સામે રજૂ થઈને પોતાની વિકાસકથા કહી સંભળાવતો હોય! આવું જ કર્મ અને પરલોક માટે પણ સમજવું. આ રીતે આ ગ્રંથરત્ન અત્યન્ત ઉપયોગી અને મહત્ત્વની સામગ્રીનો સંભાર રજૂ કરતો હોઈ દરેક વિદ્યાપ્રેમીએ સંગ્રહવા યોગ્ય, વાંચવા યોગ્ય અને મનનીય બન્યો વિશેષ ન લખતાં જૈન સાહિત્યના મર્મજ્ઞ, સાક્ષરવર્ય પૂજ્ય મુ. શ્રી પુણ્યવિજયજીએ આ ગ્રંથ અને તેની પ્રસ્તાવના અંગે જે અભિપ્રાય વ્યક્ત કર્યો છે તે જ વાંચીએ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy