SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૨ ૪૯૫ (૨) શાસ્ત્રીય વિષયનો રોચક અનુવાદ : ગણધરવાદ' [ આચાર્ય જિનભદ્ર ક્ષમાશ્રમણકત “ગણધરવાદ'નો ટિપ્પણ તથા તુલનાત્મક વિસ્તૃત પ્રસ્તાવનાથી યુક્ત સંવાદાત્મક અનુવાદ, અનુવાદક તથા લેખક : પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા, પ્રકાશક: ગુજરાત વિદ્યાસભા, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, ભદ્ર અમદાવાદ, પૃષ્ઠસંખ્યા (ક્રાઉન ૮ પેજી) ૪૨૬; કિંમત - પાકું પૂંઠું રૂ. ૧૨, કાચું પૂંઠું રૂ. ૧૦/-). જૈનધર્મના એક સમર્થ આગમિક આચાર્યશ્રી જિનભદ્ર-ક્ષમાશ્રમણનો ‘વિશેષાવશ્યક-ભાષ્ય' ગ્રન્થ બહુ જાણીતો છે, અને જૈનસંઘમાં આબાલવૃદ્ધ વ્યક્તિને તેથી ય વિશેષ જાણીતો છે એ મહાગ્રન્થનો એક ભાગ “ગણધરવાદ'. મૂળ અર્ધમાગધી ભાષામાં, આર્યા છંદમાં, ૪૭૬ ગાથામાં રચવામાં આવેલ છે. તેમાં મુખ્યત્વે જીવ, પુણ્યપાપ, બંધ-મોક્ષ, કર્મતત્ત્વ અને પરલોકના અસ્તિત્વ અને સ્વરૂપ સંબંધી ચર્ચા છે. સામાન્ય રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે “ગણધરવાદમાં જૈન-દર્શનસંમત સાત કે નવ તત્ત્વનો વિચાર કરવામાં આવ્યો છે. આ ચર્ચાનાં મુખ્ય પાત્રો પૈકી ખુલાસો આપનાર ભગવાન મહાવીર છે અને શંકાઓ કરીને સવાલ પૂછનાર અગિયાર ગણધરો છે. એથી આ ગ્રન્થનું “ગણધરવાદ' નામ સાર્થક છે. પ્રસ્તુત પુસ્તક એ “ગણધરવાદનો મૌલિક લાગે એવો સરળ-સુંદર ગુજરાતી અનુવાદ છે. એ અનુવાદને મૂળ ગાથાઓના અક્ષરાર્થમાં જ ગોઠવી ન દેતાં, પ્રશ્નોત્તર રૂપે સંવાદાત્મક શૈલીમાં રજૂ કરવામાં આવ્યો છે એ એની ધ્યાનપાત્ર વિશેષતા છે. કોઈ પણ કઠણ વિષય – અને તેમાંય ખાસ કરીને તત્ત્વજ્ઞાન જેવો વિષય સીધેસીધા લખાણ કરતાં પ્રશ્નોત્તરરૂપે રજૂ કરવાથી વધુ સહેલાઈથી સમજણમાં ઊતરી શકે છે. અનુવાદમાં ઠેરઠેર વિષય-પ્રતિપાદનને સ્પષ્ટ કરતાં મથાળાં પણ મૂકવામાં આવ્યાં છે. મૂળ ગ્રંથનો અનુવાદ પૂરો થાય પછી ૩૨ પૃષ્ઠોમાં ૧૬ ૮ જેટલાં ટિપ્પણો આપ્યાં છે. તેમાં કેટલાક પારિભાષિક શબ્દોની સમજૂતી, કેટલાક વિષયોના વિશેષ ખુલાસા, કેટલાક ઉપયોગી પાઠોનાં ઉદ્ધરણો વગેરે અતિ ઉપયોગી સામગ્રી રજૂ કરવામાં આવી છે; તે આ ગ્રંથને સમજવામાં વિશેષ સહાયક થઈ પડે એમ છે. આ ટિપ્પણો પછી “ગણધરવાદની મૂળ ૪૭૬ ગાથાઓ ત્રણ પ્રતોના આધારે શુદ્ધ કરીને પાઠાંતરો સાથે આપવામાં આવી છે. અને તે પછી અવતરણોની સૂચિ તથા અકારાદિ શબ્દસૂચિ મૂકવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy