SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૧૧ ૪૮૩ ગઈ છે, તો તે મને અહીં (અમદાવાદમાં જ આપી દ્યો તો ચાલે; આ માટે મને મુંબઈ બોલાવવો અને આ બધો ખર્ચ કરવો એ મારા મન સાથે બંધ બેસતું નથી. પણ હું ઘણી બાબતોનો ઈન્કાર કરી શકું છું, પણ મહોબ્બતનો ઈન્કાર કરી શકતો નથી; મહોબ્બતનો હું ગુલામ (દાસ) છું. એટલે મંડળના સંચાલકોના અને શ્રી મનસુખભાઈ તથા શ્રી રમણભાઈના કહેવાથી અહીં હાજર થયો છું. ગુરુ ગૌતમસ્વામી' પુસ્તક લખવાનો યશ હું “ગુરુ ગૌતમસ્વામી' પુસ્તક લખી શકયો તેનો ખરો યશ મારા મિત્ર શ્રી મનસુખભાઈ તારાચંદ મહેતા અને એમના વેવાઈ ભાવનગરના ટી. સી. બ્રધર્સવાળા શ્રીયુત ચીમનભાઈ ચુનીલાલ પરીખને ઘટે છે. મારી અનેક જંજાળોથી ભરેલી જિંદગીમાં આ પુસ્તક લખી આપવાની જવાબદારી લેવા હું તૈયાર ન હતો; પણ શ્રી મનસુખભાઈએ એ કામ આગ્રહ કરીને સોંપ્યું, અને એમાં અણધાર્યો વિલંબ થવા છતાં એમણે અપાર ધીરજ દાખવી, એટલે જ હું આ પુસ્તક લખી શક્યો. આ માટે હું એ બંનેનો અંત:કરણથી આભાર માનું છું. આ પુસ્તક સુંદર રૂપ રંગમાં પ્રકાશિત થઈ શક્યું તે સુપ્રસિદ્ધ જીવનમણિ-સદ્વાચનમાળા ટ્રસ્ટના સંચાલક શ્રી લાલભાઈ મણિલાલ શાહની મારા તરફની ભલી લાગણીને કારણે જ. છાપકામના ભાવ-વધારાને કારણે આ પુસ્તક કોણ છપાવે અને ક્યારે પ્રગટ થાય એની મૂંઝવણ હતી. એવે વખતે આ ટ્રસ્ટે આ કામની જવાબદારી સ્વીકારી હતી. આ માટે હું આ ટ્રસ્ટનો ખૂબ ઋણી છું. આવું પુસ્તક લખવાની હથોટી હું કેવી રીતે કેળવી શક્યો એનો વિચાર કરું છું, ત્યારે મારું ધ્યાન ભાવનગરના “જેન' સાપ્તાહિકનાં સંપાદકીય લખાણોની મેં. ૨૮-૨૯ વર્ષ પહેલાં સ્વીકારેલી જવાબદારી તરફ જાય છે. ત્રણેક દાયકા પહેલાં મને કોઈ લખવાનું કહેતું તો એ કામ માથાના દુખાવા જેવું આકરું લાગતું, અને જ્યારે પણ બોલવાનો પ્રસંગ મળતો તો મન ઉલ્લાસનો અનુભવ કરતું. મારા ભાઈ શ્રી જયભિખ્ખું અને મારી વચ્ચે જાણે કંઈક એવી સમજૂતી પ્રવર્તતી હતી, કે લખવાનું કામ શ્રી જયભિખ્ખનું અને બોલવાનું કામ મારું. આવી સ્થિતિમાં અમારા આદરભક્તિના પાત્ર શ્રી “સુશીલ ભાઈની વતી જૈન'માં લખવાનું કામ મેં માથે લીધું, તેનાં શરૂઆતનાં વર્ષોની મારી લેખક તરીકેની મૂંઝવણ અને મથામણનો વિચાર કરું છું તો લાગે છે, કે એ સમય મારા માટે ખૂબ કપરો અને કસોટીનો હતો, પણ પછી ધીમેધીમે લખવાની ફાવટ આવતી ગઈ, અને વિચારોની સ્પષ્ટતા થવાની સાથે એને બને તેટલા યથાસ્થિત રૂપમાં રજૂ કરવાની હથોટી પણ કેળવાતી ગઈ. મારા જૈન” પત્ર સાથેના ત્રણેક દાયકા જેટલા લાંબા સંબંધમાં સૌથી મહત્ત્વની વાત એ પત્રના સંચાલકોએ અને એના સહૃદય તંત્રી ભાઈ શ્રી ગુલાબચંદભાઈએ દાખવેલ ઉદાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy