SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૧૦ ૪૮૧ ૪૮૧ (૧૦) પ્રજાના પ્રાણસમાં “હરિજન-પત્રો'ને ટકાવવાની જરૂર મહાત્મા ગાંધીએ સ્થાપેલ ગુજરાતી “હરિજનબંધુ', હિન્દી 'હરિજનસેવક' અને અંગ્રેજી હરિજન' – એમ ત્રણે હરિજનપત્રોનું પ્રકાશન, એકાએક આવતા માર્ચ માસથી બંધ કરવાનો નિર્ણય નવજીવન ટ્રસ્ટે જાહેર કર્યો છે, એમ કરવાના કારણ તરીકે આર્થિક ખોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમાચાર વાંચી અમને બહુ આઘાત લાગ્યો છે, અને અમને લાગે છે, કે જેઓએ આવા ઉમદા વિચાર-૫ત્રો થોડા વખત માટે પણ વાંચ્યાં હશે, તેઓ પણ અમારા જેવી જ લાગણી અનુભવતા હશે. આ પત્રોનું પ્રકાશન બંધ કરતું “નવજીવન ટ્રસ્ટના વ્યવસ્થાપકનું નિવેદન સાવ અણધારી રીતે પ્રજા સમક્ષ રજૂ થયું એ ખૂબ ખૂંચે એવી અને ટ્રસ્ટીઓ પ્રત્યે નારાજી ઉત્પન્ન કરે એવી બીના છે. હરિજન-પત્રોની માલિકી કે એની વ્યવસ્થાની સત્તા ભલે નવજીવન ટ્રસ્ટની હોય, પણ એ સંપત્તિ તો હિન્દુસ્તાનની આમપ્રજાની છે; બલ્ક, એ આખી દુનિયાની સંપત્તિ છે. અને તેથી આ પત્રો બંધ કરવાનો આખરી નિર્ણય લેતાં પહેલાં આખી પરિસ્થિતિ સ્પષ્ટ રૂપમાં પ્રજા સમક્ષ રજૂ કરવાની નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ફરજ હતી. એ ફરજ તેઓ ચૂકયા, તેથી એમનો આ નિર્ણય પ્રજાને ઉતાવળિયો કે અવિચારી લાગે તો એમાં પ્રજાને દોષ ન દઈ શકાય. આ ઘટનામાં સૌથી વધુ ખેંચે એવી બીના તો એ છે, કે હરિજન-પત્રોના આત્મારૂપ અને ભારે બીમાર હાલતમાં પણ પોતાનાં હાડ-ચામ-રુધિર નિચોવીને એ પત્રોનું ઉચ્ચ ધોરણ જાળવી રહેલા શ્રી કિશોરલાલ મશરૂવાળાનું આ અંગેનું નિવેદન પ્રગટ કરીને તે પછી (કે છેવટે તેની સાથોસાથ પોતાનો નિર્ણય જાહેર કરવાનો વિવેકી ક્રમ નવજીવનના ટ્રસ્ટીઓ જાળવી શક્યા નથી. આથી વ્યવસ્થાપક ટ્રસ્ટીનું નિવેદન શુષ્ક બુદ્ધિનો જ આશ્રય શોધતું, ઉપલકિયું અને તેથી અપ્રતીતિકર જ લાગે છે. આપણી પાંગરતી લોકશાહીમાં પ્રજાજીવનને સ્વચ્છ બનાવવા માટે જ્યારે અનેક પત્રો જરૂરી છે, ત્યારે આ કાર્યમાં મોખરાનું સ્થાન જાળવતાં પત્રો જ બંધ થાય તો પછી દેશની જીવનશુદ્ધિની આશા જ શી ? અમે તો ચોક્કસ માનીએ છીએ કે મુઠ્ઠીભર સિક્કાઓને બચાવવા આવાં આદર્શ પત્રોનો ભોગ લેવો આપણને કોઈ રીતે પાલવે એમ નથી. ‘નવજીવન' જેવી માતબર સંસ્થા પાસેથી તો ઊલટી એવી આશા રાખી શકાય, કે ગમે તે સંજોગોમાં પણ તે આવાં પત્રોનું પ્રકાશન ચાલુ રાખવાનો નિર્ધાર જાહેર કરે. આપણને એનાથી ઊલટો નિર્ણય સાંભળવા મળે છે તે દેશનું કમનસીબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy