SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન કરી શકે એવા માસિકની આપણે ત્યાં ખોટ હોઈ તેની પૂર્તિ માટે શ્રી જૈન-સત્ય-પ્રકાશ’ જેવા ચાલુ માસિકને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવાની જરૂર છે, ત્યારે કેવળ આર્થિક ટેકાને અભાવે જ એ બંધ કરવાનો વખત આવે એ દુઃખ અને દુર્ભાગ્યની વાત છે. ૪૮૦ ‘શ્રી જૈન-સત્ય-પ્રકાશે’ જૈનધર્મ ઉપર થતા આક્ષેપો સામે પોતાનો અવાજ રજૂ કરવા પોતાથી બનતું કરવા ઉપરાંત જૈન સંસ્કૃતિનાં વિવિધ અંગો સંબંધી સાહિત્ય પ્રગટ કરવામાં પણ પોતાની શક્તિ અને સંપત્તિ પ્રમાણે, બાવીસ વર્ષ સુધી ઠીક-ઠીક કામ કર્યું છે એ વાત ભૂલી શકાય એમ નથી. વળી, ગચ્છ કે સમુદાયના ભેદને ભૂલીને, સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘ જેને પોતાનું માની શકે અને જે પોતે પણ નિઃસંકોચ એ સૌની પાસે જઈ શકે એવું આ એક જ માસિક છે. શ્વે. મૂ. જૈનસંઘના જુદાજુદા સમુદાયના મુનિવરો માટે તો ‘અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસંમેલન'ના સંભારણા અને પ્રતીકરૂપે આ માસિક એક મિલનસ્થાન જ છે. આવી સારી ભૂમિકા ધરાવતા અને વખત આવ્યે જૈન સંસ્કૃતિ અને સંઘની વિશેષ સેવા કરી શકે એવા એ માસિકને કેવળ આર્થિક મુશ્કેલીને કા૨ણે જ બંધ કરવાનો વખત આવે એ વાત સમજી શકાતી નથી. સમિતિનું સુકાન અત્યારે શ્રી વિજયલબ્ધિસૂરિજી, શ્રી વિજયલાવણ્યસૂરિજી, શ્રી ચંદ્રસાગ૨સૂરિજી જેવા મોટા આચાર્યો અને મુ. શ્રી. દર્શનવિજ્યજી (ત્રિપુટી) જેવા જૈનસંઘ અને સાહિત્યની સેવાની લાગણીથી ભરેલ મુનિવર – એમ ચા૨ શ્રમણવર્યોના હાથમાં હોવા છતાં, અને જો ધારે તો સમિતિના એક-એક આચાર્ય-મહારાજ પણ સમિતિને માસિક માટે જરૂર પડતાં બે-ત્રણ હજાર રૂપિયાની મદદ સહજ રીતે મેળવી આપે એવી શક્તિ ધરાવતા હોવા છતાં, આ માસિકને બંધ કરવું પડે એ ભારે કરુણતા લેખાય. આ માટે આથી વધારે કહેવાની અમને જરૂ૨ લાગતી નથી. આ માટે તો હવે કામ કરી બતાવવાની જ જરૂર છે. આ માટે કોણે શું કરવું એ સૂચવવાનું અમારું કામ નથી. અમે તો એટલું જ કહીએ છીએ કે સમસ્ત શ્રીસંઘનું આ કામ છે; અને આ આચાર્ય-મહા૨ાજો જો મન પર લે તો ઘડીના છઠ્ઠા ભાગમાં જોઈતી જોગવાઈ થઈ જાય એમ છે. આશા રાખીએ, બહુ મોડું થાય તે પહેલાં આપણે જાગીશું. Jain Education International For Private & Personal Use Only (તા. ૧૪-૯-૧૯૫૭) www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy