SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જિનમાર્ગનું અનુશીલન આમ કહેવા પાછળનો મુદ્દો એવો તો નથી જ, કે આવી અપ્રામાણિકતા અત્યારે જ જન્મી ગઈ છે, અને પહેલાંના સમયમાં બધા માનવીઓ સત્યવાદીના અવતાર હતા. આ લખવાનો મુખ્ય આશય એ છે કે આવા દુર્ગુણોનું પ્રમાણ જ્યારે મર્યાદા વટાવી જાય છે ત્યારે માનવજીવન વધારે આકુળવ્યાકુળ અને વધારે સંકટગ્રસ્ટ બની જાય છે. અત્યારે ચારેકોર જે હાહાકાર પ્રવર્તી રહ્યો છે અને મુશ્કેલીઓનો કયાંય આરો દેખાતો નથી ત્યારે સહજ રીતે એનું મૂળ કારણ શોધવાનું મન થાય છે. અને આ શોધ કરતાં આ રોગનું નિદાન સહજ રીતે અપ્રામાણિકતા જ માલૂમ પડે છે. એટલે જ્યારે પણ આપણે આ મુશ્કેલી અને આ વિષમતાને દૂર કરવાનો વિચાર કરવો હશે, ત્યારે આપણા જીવનના નાનામાં નાના પ્રદેશમાં પણ પ્રવેશી ગયેલી અપ્રામાણિકતાને ઉલેચીને ફેંકી દેવાનો વિચાર કર્યા વગર આપણો છૂટકો નથી. અન્ન તેવો ઓડકાર' એ કહેવતમાં સનાતન સત્ય સમાયેલું છે; તે જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતાની જરૂર તરફ સાફ અંગુલીનિર્દેશ કરે છે. જૈન ધર્મશાસ્ત્રોએ ધર્મમાર્ગનું અનુસરણ કરવા ચાહતા માનવીને માટે જે પાંત્રીસ ગુણોની પ્રથમ જરૂર જણાવી છે, તેમાં સૌથી પહેલો ગુણ “ચાસપત્નવિમવ:” પ્રામાણિકતાપૂર્વક ઉપાર્જન કરેલ ધન' ગણાવવામાં આવ્યો છે; આ કથનમાં ભારે તથ્ય સમાયેલું છે. એમ કહી શકાય શુદ્ધ કે ધર્મમય જીવનનું પહેલું પગથિયું પ્રામાણિકતા જ છે. જો એ પ્રામાણિકતા નથી, તો ધર્મની આખી ઈમારત, રેતીના આધાર ઉપર ઊભી કરેલ ઇમારતની જેમ અલ્પજીવી સમજવી. જરાક કસોટીનો વખત આવે અને સમૂળગી ધાર્મિકતા પાણીના પરપોટા જેમ પળવારમાં હતી-ન હતી બની જાય. ક્રિયાકાંડપરાયણતાને લીધે ખૂબ ધાર્મિક લાગતાં અને ભક્ત તરીકેની ખ્યાતિને વરેલા માનવીઓમાં અણીને વખતે જીવનશુદ્ધિની ખામી જોવામાં આવે છે, અથવા તો કહો. કે એવા માણસોની ધાર્મિકતા પોકળ હોય છે. એટલે આધ્યાત્મિકતાની બહુ ઊંચી કોટિની વાત તો બાજુએ રહી, સામાન્ય માનવતાનો પ્રાદુર્ભાવ પણ પ્રામાણિકતા વગર શક્ય નથી. અને આજે તો આપણે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાંથી, જાણે પ્રામાણિકતાને દેશવટો દેવા નીકળી પડ્યા હોઈએ એવો ઘાટ બની ગયો છે. પરિણામે, લાખ પ્રયત્ન છતાં સુખ અને શુદ્ધિ આપણાથી દૂર ને દૂર થતાં જાય છે. છાર ઉપર લીંપણ કરીએ એનું પરિણામ કેવું આવે? અંગ્રેજોએ તો પ્રામાણિકતાનાં, માનવતાની દષ્ટિએ જ નહીં પણ વેપાર-ઉદ્યોગમાં સફળ થવાની એક ઉત્તમ નીતિ તરીકે પણ ભારે ગુણગાન કર્યા છે (Honesty is the best Policy); એટલું જ નહીં, એ વાતને એમણે પોતાના વ્યવહારથી સાબિત પણ કરી બતાવી છે. આપણે પણ સાચા શેઠની પાંચશેરી નો મહિમા તો જાણીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy