SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૮, ૯ બદલે સત્યશોધકની જેમ પોતાના સંશોધન-ક્ષેત્રનાં તેમ જ પોતાની વિચારશક્તિનાં દ્વાર ઉઘાડાં રાખ્યાં છે; તેથી એમનો પ્રયત્ન વિશેષ આદરપાત્રઆવકારયોગ્ય બની રહે છે. અને તેથી આ વિષયમાં રસ ધરાવનારાઓ તેમ જ આસ્થા ધરાવનાર બધા ય ધર્મોના ધર્મગુરુઓ અને અનુયાયીઓ આ બાબતમાં જીવંત રસ દાખવે અને સક્રિય સહકાર આપે એ જરૂરી છે. આ પ્રસંગે એ જાણવું લાભકારક થશે કે આપણા વયોવૃદ્ધ આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરિજીના સમુદાયના મુનિશ્રી જયપધ્ધવિજયજીએ પુનર્જન્મની કેટલીક ઘટનાઓનો સંગ્રહ કરતું એક નાનું સરખું પુસ્તક કેટલાક વખત પહેલાં પ્રગટ કર્યું છે. મોટે ભાગે શ્રદ્ધા કે ધર્મમાન્યતાનો વિષય ગણાતી પુનર્જન્મ જેવી બાબતમાં વૈજ્ઞાનિક સંશોધનની આવી જોગવાઈ કરવાની પહેલ કરવા બદલ રાજસ્થાન વિશ્વવિદ્યાલયને અને એ માટે નિષ્ઠાપૂર્વક સંશોધનકાર્ય કરવા બદલ પ્રો. હેમેન્દ્રનાથ બેનર્જીને ખૂબખૂબ ધન્યવાદ ઘટે છે. (તા. ૭-૫-૧૯૬૬) (૯) પહેલું પગથિયુઃ પ્રામાણિકતા વ્યક્તિની શુદ્ધિનો અને સમષ્ટિના સુખનો સૌથી પહેલો આધાર અને ઉપાય છે વ્યક્તિની પ્રામાણિકતા. અત્યારના જીવન-વ્યવહારમાંથી આ પ્રામાણિકતા વધારે પ્રમાણમાં ઓસરી ગઈ છે. તેને પરિણામે મોટા ભાગનું માનવજીવન વધારે પડતી વિષમતાથી ઘેરાઈ ગયું છે. એક માનવી પ્રામાણિકતાની મર્યાદા વટાવીને વધારે પડતો સ્વાર્થપરાયણ બને તેનો પડઘો અચૂક રીતે બીજી વ્યક્તિ ઉપર પડે છે, અને એ બીજી વ્યક્તિને પોતાના માર્ગથી ભ્રષ્ટ થવું પડે તેની અસર ત્રીજી વ્યક્તિ ઉપર પડે. આમ એક-એક કરતાં અપ્રામાણિકતાનું વિષચક્ર એવું તો વ્યાપક બને છે કે પછી એનાં દુષ્પરિણામોમાંથી માનવસમૂહોને બચાવી લેવાનું કાર્ય અત્યંત મુશ્કેલ બની જાય છે. માનવસમૂહોને ઘેરી વળેલી અત્યારની મોટા ભાગની મુસીબતો પ્રામાણિકતાના વધારે પડતા ભંગને જ આભારી છે એમાં શંકા નથી. આ તો ધીમે-ધીમે જાણે છેતરનારાઓનું એક ટોળું જ બની ગયું હોય, અને કોણ કોને વધારે છેતરીને બાજી જીતી – એવી છેતરામણીની જાણે હરીફાઈ મંડાઈ ગઈ છે ! અને એ હરીફાઈમાં હુન્નરઉદ્યોગનું, વેપાર-વણજનું, રાજદ્વારી, ધાર્મિક કે સમૂહજીવનનું ક્ષેત્ર – એકેએક ક્ષેત્ર – સામેલ થઈ ગયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy