SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન આર્થિક અને બીજા સહકાર વગર વિલાઈ કે વીસરાઈ જાય છે, અને જ્યાં વિશેષ પૈસા વગર પણ કામ સારી રીતે ચાલી શકે એમ હોય, ત્યાં પૈસાની રેલછેલ થવા લાગે છે; આપણી પ્રજાની આવી કંઈક વિલક્ષણ કે પ્રમાણભાન વગરની તાસીર જ બની ગઈ છે ! ઉપરની વિગતોના અનુસંધાનમાં અહીં એ જાણવું પણ ઉપયોગી થઈ પડશે કે જેનભારતી' સાપ્તાહિકના તા. ૨૩-૫-૧૯૬૫ના અંકમાં આ જ પ્રો. હેમેન્દ્રનાથ બેનર્જી તરફથી, મધ્યપ્રદેશના છતરપુરના વતની શ્રી મનોહરલાલજી મિશ્રની પુત્રી કુમારી સ્વર્ણલતાએ સાડાત્રણ વર્ષની નાની ઉંમરે કટની ગામ સાથે સંકળાયેલ પોતાના પૂર્વજન્મની બાબતો કહી અને ઓળખી બતાવીને સૌને હેરતમાં નાંખી દીધાની ઘટનાની વિગતો પ્રગટ કરાઈ છે. એ વિગતોને અંતે આ સંશોધન-કાર્ય માટે આવી ઘટનાઓની વિગતો પોતાને લખી જણાવવાની વિનંતી કરતાં તેઓએ કહ્યું છે : જયપુરના રાજસ્થાન વિશ્વવિદ્યાલયનો પૅરા-સાઇકોલોજી-વિભાગ પૂર્વગ્રહથી મુક્ત બનીને વૈજ્ઞાનિક ઢબે આ સમસ્યાના વ્યાવહારિક પક્ષનું અધ્યયન કરી રહેલ છે. આ વિભાગ આવા પ્રકારની ઘટનાઓ પ્રત્યે કોઈ પણ પ્રકારનો આગ્રહ નથી ધરાવતો. તેથી અત્યાર પૂરતું તો એ આવા પ્રકારની ઘટનાઓને પુનર્જન્મની ઘટનાઓ તરીકે ઓળખાવવાનું વિશેષ વાજબી માનવાને બદલે એને અતિ-મસ્તિષ્ક-સ્મૃતિ(Extra Cerebral Memory) ની ઘટનાઓ તરીકે ઓળખાવવી વધારે ઠીક માને છે. જ્યાં સુધી આવી જાતની અનેક ઘટનાઓના અધ્યયનના ફળરૂપે કોઈ નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકાય ત્યાં લગી એ કહેવું મુશ્કેલ છે કે આવી ઘટનાઓ કેમ અને કેવી રીતે બને છે. આ સમસ્યાનું હજી પણ પૂર્ણરૂપે અધ્યયન થઈ શકે એ માટે એ જરૂરી છે કે વાચકો આ વિભાગ ઉપર આવી વધુમાં વધુ ઘટનાઓની ખબર મોકલે, તેમ જ આવી ઘટનાઓના અધ્યયન માટે પૂરતી સાધન-સામગ્રી મળી રહે. તેથી વાચકમહાનુભાવોને આગ્રહભરી વિનંતિ કરવામાં આવે છે કે તેઓ આવી ઘટનાઓની માહિતી નીચેના સરનામે મોકલવાની તસ્દી લે – પ્રો. હેમેન્દ્રનાથ બેનર્જી સંચાલક : પેરા-સાઈકોલોજિકલ વિભાગ, રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુર (રાજસ્થાન) કુમારી સુવર્ણલતાના પૂર્વજન્મકથનની માહિતી સાથેનું પ્રો. હેમેન્દ્રનાથ બેનર્જીનું આ નિવેદન ગોરખપુરથી પ્રગટ થતા સુપ્રસિદ્ધ હિંદી માસિક “કલ્યાણના વર્ષ ૩૯માના બીજા અંકમાંથી જૈનભારતીમાં ઉદ્ધત કરવામાં આવ્યું હતું. પ્રો. બેનર્જીનું ઉપર આપેલું નિવેદન એક સંશોધક વૈજ્ઞાનિકને છાજે એવી સંભાળપૂર્વક લખાયું છે. એમાં એમણે કોઈ પણ પ્રકારના આગ્રહને વશ થઈ જવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy