SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ જિનમાર્ગનું અનુશીલના નામ છે મુનિશ્રી કેવળવિજયજી. એમની વિચારસરણી ખૂબ બદલાઈને પ્રાચીનતાની સમર્થક બની ગઈ છે. મારી જાણ મુજબ, કટાક્ષચિત્રો એ આ પત્રની આગવી વિશેષતા હતી. આ પત્ર પણ સને ૧૯૨૯-૩૦માં પ્રગટ થઈને, એકાદ વર્ષમાં જ બંધ થયું હતું. જૈન પત્રકારત્વનો વિચાર કરતાં જૈનોએ ખેડેલા વ્યાપક જૈનેતર) પત્રકારત્વનો પણ વિચાર કરવા જેવો છે. એમાં અનેક તેજસ્વી, પીઢ, નામાંકિત પત્રકારો થઈ ગયા છે. પણ એ આજના મારા વિષયની મર્યાદાની બહાર છે; એ માટે સમય પણ નથી. જૈન પત્રોના સંપાદકોમાં શ્રી ભગુભાઈ ફતેચંદ કારભારી, શ્રી વાડીલાલ મોતીલાલ શાહ, શ્રી “સુશીલ' વગેરેનાં નામો વિશેષ ધ્યાન ખેંચે છે. જૈન પત્રો સાથે જોડાઈ ગયેલા એક ભયસ્થાન તરફ થોડુંક ધ્યાન દોરવું જરૂરી લાગે છે : જેમ ગ્રંથસંગ્રહ અને ગ્રંથપ્રકાશન તરફના અનુરાગે સાધુસંઘમાં ક્યાંક-ક્યાંક અર્થસંગ્રહરૂપ શિથિલતાને વધારી મૂકી છે, તેમ સાધુઓનાં કે એમની સાથે ગાઢ રીતે સંકળાયેલાં પત્રો પણ કેટલીક વાર આ અનિષ્ટનાં પોષક બની જાય છે. જૈનપત્રોમાં “પ્રબુદ્ધ જીવન' પાક્ષિક સાવ જુદું તરી આવે છે. શ્રીયુત પરમાનંદભાઈ એના પ્રણેતા અને પ્રાણ છે, અને તેમની બુદ્ધિ અને દૃષ્ટિ મૌલિક અને વ્યાપક છે. એમની આ પ્રતિભાની છાયા “પ્રબુદ્ધ જીવન' ઉપર પડે એ સ્વાભાવિક છે. “પ્રબુદ્ધ જીવન' એક જૈન સંસ્થાનું માસિક મુખપત્ર છે, અને તેમાં અવારનવાર જૈન સમાજના પ્રશ્નોની ચર્ચા થતી રહે છે; કયારેક તો આ ચર્ચા ભારે સચોટ પણ હોય છે. આમ છતાં એને કેવળ જૈન પત્ર તરીકેની અને શ્રી પરમાનંદભાઈને જૈન પત્રકાર તરીકેની છાપ લગાવવી બરાબર નથી. જેમ જાહેરખબરો ન છાપવી એ એની વિશેષતા છે, તેમ જૈન-જૈનેતર સમાચારનો અભાવ એ એની બીજી વિશેષતા છે. એ તો સાચા અર્થમાં નવું વિચારઘડતરનું પત્ર છે. (તા. ૧૬-૧-૧૯૬૫) (૪) “જૈન'-પત્ર – ભાવના, મથામણ અને સૌભાગ્ય કાળબળે કે બીજા ગમે તે કારણસર, ધર્મ, સમાજ કે સંઘમાં જે અજ્ઞાન, અંધશ્રદ્ધા, અહંકાર, અનૈકય અને અનિચ્છનીય રૂઢિઓનાં જાળાં જામી ગયાં હોય કે જામતાં જતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy