SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રાઃ ૩ ૪૬૩ ઉપર આવું પત્ર કાઢવું એ આર્થિક રીતે બહુ મુશ્કેલ કામ લાગે છે. “જૈનોદય’ હજી તો આકાર પામી રહ્યું છે. જૈન પત્રોમાં પહેલાં ભિન્ન-ભિન્ન ફિરકા વચ્ચે તેમ જ એક જ ફિરકાની જુદીજુદી વિચારસરણીઓ વચ્ચે સારા પ્રમાણમાં સાઠમારી ચાલતી હતી; પણ મને લાગે છે, કે ગાંધીયુગની અસરે આના ઉપર સારું એવું નિયંત્રણ મૂકયું છે. આજે જુદાજુદા જૈન ફિરકાઓ વચ્ચેની સાઠમારી ભલે અમુક અંશે ચાલુ હોય, છતાં એનું રૂપ પહેલાં જેવું બિહામણું રહ્યું નથી. આ એક શુભચિત છે. જૈન સામયિકોની વાચન-સામગ્રીમાં સમાચાર, વિચાર, સંશોધન, મનોરંજન વગેરેનો સમાવેશ થવા છતાં, આ બધાં પત્રો મધ્યમ કોટીનાં છે એમ સામાન્ય રીતે કહી શકાય. “જૈન' પત્રના સંપાદન નિમિત્તે દર અઠવાડિયે બધા ફિરકાનાં સંખ્યાબંધ પત્રો મારે વાંચવાનું થાય છે, ત્યારે આપણી સામાજિક, ધાર્મિક, સાહિત્યિક કે શૈક્ષણિક પ્રવૃત્તિઓના સમાચારો વાંચીને મનમાં વિમાસણ થઈ આવે છે, કે આપણું પ્રવૃત્તિક્ષેત્ર શું આવું જ સંકુચિત રહેવાનું ? એ જ ઉત્સવમહોત્સવ, વાજાં-ગાજ-વરઘોડા અને ધામધૂમની વાતો ? આ સમાચારો આપણી કલ્યાણપ્રવૃત્તિની પારાશીશી લેખી શકાય. આ પ્રવૃત્તિઓમાં ઘણોઘણો વિકાસ અને ફેરફાર થવો જરૂરી છે. કયા-કયા જૈન ફિરકાનાં કેટલાં પત્રો હશે એનો વિચાર કરતાં કોઈ નિશ્ચિત સંખ્યા તો જાણી શકાઈ નથી, પણ જે એક ધ્યાનપાત્ર બીના જાણવા મળી છે તેનો અહીં અછડતો ઉલ્લેખ કરવો ઠીક લાગે છે. આ અંગે વિચાર કરતાં લાગ્યું છે કે જે જૈન ફિરકાનો ઉદ્દગમ જેટલો અર્વાચીન તેટલી એનાં સામયિકોની સંખ્યા ઓછી; દા. ત, આપણે ત્યાં છેલ્લામાં છેલ્લો નવો ફિરકો છે શ્રી કાનજીસ્વામીનો. આમ તો એ દિગંબર જ લાગે છે; છતાં આજે એનું કંઈક સ્વતંત્ર રૂપ છે. એનું એક જ સામયિક છે : “આત્મધર્મ'. ફિરકાવાર પત્રસંખ્યાનું આવું ચિત્ર સાથી બન્યું હશે તે નિશ્ચિતરૂપે કહેવું મુશ્કેલ છે; ઓછા નેતાઓ અને કંઈક એકછત્રી વ્યવસ્થાને લીધે આમ બન્યું હોય. જૈન પત્રોની વાત કરતાં, બે પત્રોનો, એની આગવી વિશેષતાને કારણે, ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે : એક છે જેન-સાહિત્ય-સંશોધક' માસિક; એના સંપાદક હતા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી, એ પત્ર સાચા અર્થમાં સંશોધનનું પત્ર હતું; પણ બે-એક વર્ષ ચાલીને બંધ થયું. જો એ ચાલુ રહ્યું હોત તો સંશોધનનું એક આદર્શ પત્ર બનત. બીજું પત્ર હતું ખૂબ ઉદ્દામવાદી જૈન જીવન' સાપ્તાહિક; એના તંત્રી હતા શ્રીયુત મોતીલાલ લાધાજી. એમણે દીક્ષા લીધી છે, અને એમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy