SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ જિનમાર્ગનું અનુશીલન પાક્ષિક, માસિક સામયિકો જૈન સમાજે પ્રગટ કર્યાં છે. આમાંનાં કેટલાંક પત્રો રાષ્ટ્રીય વિચારસરણીનાં પણ પ્રચારક રહ્યાં છે. વિચારસંશોધન અને મનોરંજન એવા બધા વિષયનાં અત્યારે પ્રગટ થતાં અને બંધ થઈ ગયેલાં જૈન સામયિકોની સંખ્યા નક્કી કરવા જેટલો સમય મને મળ્યો નથી. આમ છતાં, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એ ચાર દ્રવિડિયન ભાષાઓ અને મરાઠી ભાષાનાં સામયિકો સિવાય ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રગટ થતાં કે બંધ થઈ ગયેલાં સામયિકોની સંખ્યા પોણોસો જેટલી તો થવા જાય છે. અત્યારે પ્રગટ થતાં જૈન સામયિકોની સંખ્યા પચાસ કરતાં ઓછી નહીં હોય. આમાં મોટા ભાગનાં સંસ્થાઓનાં મુખપત્રો છે. જૈનોમાં જૂનામાં જૂનું પત્ર કેટલાં વર્ષ પહેલાં પ્રગટ થયું એ નક્કી થઈ શકયું નથી. પણ આ અંગે તાત્કાલિક જે કંઈ તપાસ થઈ શકી એ આધારે ભાવનગરની ‘જૈન-ધર્મ-પ્રસારક-સભા'નું મુખપત્ર ‘જૈનધર્મપ્રકાશ' સૌથી જૂનું જૈન માસિક માલૂમ પડ્યું છે. આનાં કરતાં વધારે પ્રાચીન જૈન સામયિક હોવાની સંભાવના નકારી શકાય નહીં. ‘જૈનધર્મ-પ્રકાશ’ ૮૧ વર્ષથી (આ૰ સને ૧૮૮૪થી) માસિક રૂપે શરૂ થયું હતું, અને એ જાણીને રાજી થવાય છે, કે એના જન્મદાતા હતા અત્યારે જેની રજત-જયંતી ઉજવાઈ રહી છે, તે ‘પ્રબુદ્ધ-જીવન'ના પ્રણેતા શ્રી પરમાનંદભાઈના પિતાશ્રી કુંવરજી આણંદજી. શ્રી કુંવરજીભાઈ પ્રાચીનતામાં આસ્થા ધરાવતા ધાર્મિક પુરુષ હતા, છતાં એમણે સામયિકની ઉપયોગિતા પિછાણી લીધી હતી. તે પછી સુરતથી હિંદી ભાષામાં પ્રગટ થતા મુંબઈ-પ્રાંતીય દિગંબર જૈન મહાસભાના મુખપત્ર ‘જૈનમિત્ર’ તરફ ધ્યાન જાય છે. એને પ્રગટ થયાં પાંસઠ વર્ષ થયાં. તે પછી ભાવનગરથી પ્રગટ થતાં આ ‘જૈન’ સાપ્તાહિક (૬૨ વર્ષ) અને ‘આત્માનંદ-પ્રકાશ' માસિક (૬૨ વર્ષ) ધ્યાન દોરે છે. ‘જૈનધર્મ-પ્રકાશ' અને ‘જૈનમિત્ર' વચ્ચે ૧૬ વર્ષ જેટલો ગાળો છે. એમાં કોઈ અન્ય જૈન પત્ર પ્રગટ નહીં જ થયું હોય એમ માની ન શકાય. અર્વાચીનમાં અર્વાચીન જૈન સામયિક, જાણ મુજબ, સુરેન્દ્રનગરથી પાંચ મહિના પહેલાં શરૂ થયેલ અઠવાડિક ‘જૈનોદય’ છે. એના તંત્રી શ્રી શ્રીકાન્ત જૈન છે. એ પત્ર પોતાને જૈનોના બધા ફિરકાના બિનસાંપ્રદાયિક પત્ર તરીકે ઓળખાવે છે. જૈનોના બધા ફિરકાને અનુલક્ષીને પત્ર ચલાવવું એ જેટલું ઉપયોગી છે, એટલું જ મુશ્કેલ છે. ભારત જૈન મહામંડળનું માસિક મુખપત્ર ‘જૈન-જગત્’ આવું જ બધા ફિરકાનું સામયિક છે. પણ આ બધા ફિકાના પત્રની સ્થિતિ પશુઓ અને પક્ષીઓ બંનેમાં પરાયું ગણાઈને સ્થાન નહીં મેળવનાર પેલા કાનકડિયા જેવી થવાનો મોટો ભય રહેલો છે. તેમાં ય વ્યક્તિગત જવાબદારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy