SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૨ ૪૫૯ આમ, આજે આપણે ત્યાં જૈનોના બધા ફિરકાઓનાં મળીને સાપ્તાહિકો, પાક્ષિકો અને માસિકો ઠીક-ઠીક સંખ્યામાં પ્રગટ થાય છે. એમાંનાં, અમારા જેન' સાપ્તાહિક જેવાં બહુ થોડાં પત્રો સિવાયનાં મોટા ભાગનાં સંસ્થા તરફથી જ પ્રગટ થાય છે. આજે દેશમાં અને પરદેશમાં જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિ પ્રત્યેની જિજ્ઞાસા જે રીતે જાગૃત થઈ છે, તેને સંતોષે, પોષ અને વૃદ્ધિગત કરે એવાં સામયિકો પ્રગટ કરવા માટે તો આપણે, થોડાંક વર્ષોથી કલકત્તાથી પ્રગટ થતા જૈન જર્નલ સૈમાસિકને બાદ કરતાં, કોઈ નક્કર પ્રયત્ન કર્યો જ નથી, અથવા બહુ જ અલ્પ પ્રમાણમાં કર્યો છે એમ કહી શકાય. આપણે ત્યાં નવાં સુવાચ્ય સામયિકો પ્રગટ થવાં તો દૂર રહ્યાં, પણ બે સુંદર માસિકો બંધ થયાં એ ખરેખર દુઃખ ઉપજાવે એવી બીના બની છે. આ બે સામયિકો તે મુનિશ્રી કલ્યાણચંદ્રજી મહારાજની પ્રેરણાથી સોનગઢમાંથી પ્રગટ થતું “સમયધર્મ” માસિક અને અમુક સમયગાળા સુધી ફરીથી પ્રકાશિત થવા માંડેલું અને વિદ્વાનોનો આદર પામેલું આપણી શ્રી જેન જે. મૂ. કોન્ફરન્સનું માસિક “જેનયુગ'. આમાં સમયધર્મની આર્થિક જવાબદારી વ્યક્તિગત હતી એટલે એ બંધ કરવાના સંયોગો ઊભા થયા હોય ત્યાં શું કહી શકાય? પણ કૉન્ફરન્સ જેવી મોટી સંસ્થાનું લોકપ્રિય બનતું જતું મુખપત્ર બંધ થાય એ જરૂર ખેદકારક લાગે. અમે જાણીએ છીએ તેમ કોન્ફરન્સના આગેવાનો પણ આથી ખેદ અનુભવે છે, અને એનું ત્રીજી વાર પ્રકાશન થાય એવી કેટલીક વિચારણા ચાલી રહી છે. ઇચ્છીએ, કે આ વિચારણા જૈનયુગના પુનઃપ્રકાશનમાં પરિણમે. એ સાચું છે, કે આવી જિજ્ઞાસાને સંતોષવાનું કાર્ય મુખ્યત્વે તો એવાં નાનાંમોટાં પુસ્તકો દ્વારા જ વધારે સારી રીતે થઈ શકે. આમ છતાં, નાના-નાના લેખો દ્વારા આવી આધારભૂત માહિતી પ્રગટ કરતાં સામયિકો પણ આમાં ખૂબ ઉપયોગી કાર્ય કરી શકે એ ભૂલવું જોઈએ નહીં. જૈનસંઘ પાસે જેમ સાહિત્યની વિપુલ સામગ્રી છે, તેમ કળા તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ તેમ જ ઇતિહાસને લગતી સામગ્રી પણ મોટા પ્રમાણમાં છે. આ બધી સામગ્રી કેવળ જૈન સંસ્કૃતિના અધ્યયન માટે જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અધ્યયન માટે પણ ખૂબ ઉપયોગી છે એ વાતનો સૌ કોઈએ સ્વીકાર કર્યો છે. એટલે જૈન તત્ત્વજ્ઞાન, આચાર, ઇતિહાસ, સાહિત્ય અને કળાને યથાર્થ રૂપમાં પ્રગટ કરે એવાં સમૃદ્ધ સામયિકોનો અભાવ ખૂબ ખટકે છે. કમ-સે-કમ આપણી એકાદ માતબર સંસ્થાએ આ દિશામાં ધ્યાન આપવાની ખાસ જરૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy