SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ જિનમાર્ગનું અનુશીલના વર્તમાનપત્રો કે સામયિકોની સંખ્યામાં ઉત્તરોત્તર અને ઝડપી કહી શકાય એવો વધારો થવા લાગ્યો છે. વળી, જનમમૂહમાં વધી રહેલી વાચનભૂખની દૃષ્ટિએ જોઈએ, તો સામાન્ય કથાવાર્તા જેવા હળવા વાચનથી માંડીને કોઈ પણ વિષયની તાત્ત્વિક મીમાંસા કરતાં ગંભીર અને અભ્યાસપૂર્ણ લખાણો વાંચવાની વૃત્તિ પણ દિવસે-દિવસે વધતી જાય છે. આવી વાચનક્ષુધાને લીધે જેમ વર્તમાનપત્રો કે સામયિકોની સંખ્યામાં વધારો થતો જાય છે, તેમ કેટલાંક વર્તમાનપત્રો કે સામયિકોના ગ્રાહકોની સંખ્યામાં પણ ઘણો જ નોંધપાત્ર વધારો થયો છે. (તા. ૨-૧-૧૯૬૦, ૧-૧-૧૯૭૨ અને ૧૧-૧-૧૯૬૧ : અંશોનું સંકલન) (૨) જૈન પત્રકારત્વ : પા-પા પગલી જૈન સમાજનું પણ ધ્યાન સામયિકોની આવશ્યકતા તરફ આજથી (૧૯૬૪થી) ૬૦-૭૦ વર્ષ પહેલાં જ ગયું હતું. જેનોના શ્વેતાંબર અને દિગંબર ફિરકામાં વર્તમાનપત્રોનું પ્રકાશન કરવાનો પ્રારંભ થયો એ વાતને સિત્તેરેક વર્ષ તો થવા આવ્યાં. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં “જૈન” પત્રને શરૂ થયે, જેમ ૬૧૬ ૨ વર્ષ થયાં, તેમ દિગંબર સમાજના જૈન ગેજેટને – ૬૦ વર્ષ અને સૂરતથી પ્રગટ થતાં “જેન-મિત્રને શરૂ થયે ૬૫ વર્ષ થયાં. આમ થવામાં પરદેશનો સંપર્ક, અંગ્રેજોની રાજ્ય-પદ્ધતિનું અવલોકન અને ખાસ કરીને અંગ્રેજી ભાષા અને સાહિત્યના શિક્ષણ જન્માવેલ નવી દૃષ્ટિ અને નવા સંસ્કારે આગળ પડતો ભાગ ભજવ્યો છે. શરૂઆતમાં તો આવાં જૈન વર્તમાનપત્રો કે વિચારપત્રો પ્રગટ કરવાનું પ્રેરક બળ મુખ્યત્વે પ્રગતિની ઝંખના, સમાજસુધારણાની ધગશ અને સમાજને જાગૃત કરવાની ભાવનારૂપ હતું. પણ પછી તો જુનવાણી કે રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવનાર વર્ગને પણ, પોતાની પુરાતન માન્યતાઓ સાચવી રાખવા માટે અને સામાન્ય જનસમૂહને સુધારા-પ્રિય થતો રોકવા માટે પણ વર્તમાનપત્રોની જરૂર લાગી. પરિણામે, રૂઢિચુસ્ત, મધ્યમસરણીનાં અને સુધારાવાદી કે ક્રાંતિકારી – એમ ત્રણે કક્ષા કે વિચારસરણી ધરાવતાં પત્રોનું આપણે ત્યાં પ્રકાશન થવા લાગ્યું. એકંદરે વિચારીએ તો આ એક આવકારપાત્ર પ્રવૃત્તિ થઈ. વધારે નહીં તો છેવટે એણે રૂઢિચુસ્તો અને પ્રગતિવાંચ્છુઓ બંનેને જાગૃત કરવાનું કામ તો કર્યું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy