SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૧ ૪પ૭ “ભારતે એવા એવા મહાન પત્રકારો જોયેલા છે કે જેમણે ખાબોચિયાં ચૂંથવાને બદલે અખબારોને રાષ્ટ્રજીવનના મુખ્ય પ્રવાહમાં સ્થાપેલાં છે. એમ કરવામાં બૌદ્ધિક સાહસ, નૈતિક હિંમત, અમુક ચોક્કસ આદર્શો ને મૂલ્યો પ્રત્યેની અફર નિષ્ઠાની જરૂર પડે છે. એને પરિણામે વર્તમાનપત્ર એ બનાવોના એક આંકડા-પટ પરનું ટિપ્પણમાત્ર બની રહેવાને બદલે રાષ્ટ્રઘડતરના અને સામાજિક પલટાની આખી યે પ્રક્રિયામાં સક્રિય હિસ્સેદાર થાય છે.” વડાપ્રધાને જે કહ્યું છે એનો ભાવ એ છે, કે સાચું વિકાસશીલ અખબાર એ જ હોઈ શકે, જે પ્રજાને જાગૃત બનાવે અને વિકાસ તરફ દોરી જાય, તેમ જ પ્રજાના માનસનું સંસ્કાર-ઘડતર કરે. આ દૃષ્ટિએ વિચારતાં આપણાં અત્યારનાં વર્તમાનપત્રોના આકાર-પ્રકારથી આપણે સંતોષ લઈએ એ બરાબર નથી; જો કે, એ પણ સાચું છે, કે કેટલાંક અખબારો સમયની અને લોકકલ્યાણની દિશાને પારખીને ચાલવાનો પ્રયત્ન કરતાં હોય છે; આ એક આશપ્રેરક ચિહ્ન છે. મર્યાદાઓ છતાં ભારતની અખબારી આલમ પણ કંઈક વિકાસ કે પ્રગતિની દિશામાં ડગ ભરી રહી છે, અને અખબારી સમૃદ્ધિ ધરાવતા દુનિયાના દેશોમાં ભારતના પત્રકારત્વનું સ્થાન પણ બહુ માનભર્યું થતું જાય છે એ આપણને આનંદ આપે એવી બાબત છે. સાર્વજનિક ધોરણે પ્રગટ થતાં વર્તમાનપત્રોની વ્યાપક કામગીરીની સરખામણીમાં કોઈ એક સમાજ અને ધર્મના મર્યાદિત ક્ષેત્રને સ્વીકારીને પ્રગટ થતાં વર્તમાનપત્રોની કામગીરી ઘણી જ મર્યાદિત બની જાય છે, અને તેથી એનો ફેલાવો પણ ઠીક-ઠીક મર્યાદિત બની રહે છે. એટલે આવાં સામાજિક-ધાર્મિક પત્રોનું આર્થિક સાધન પણ ઠીક-ઠીક મર્યાદિત બની જાય એ સહેજે સમજી શકાય એવી વાત છે. અને તેથી મોટા ભાગનાં આવાં પત્રો સંસ્થાકીય માલિકીથી પ્રગટ થાય છે, કે જેથી એને જાહેર રીતે સહાયતા મેળવવામાં સંકોચ કરવાનો કે પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો ભય સેવવાનો ભાગ્યે જ રહે છે. પણ વ્યક્તિગત માલિકીના વર્તમાનપત્રની સ્થિતિ આથી સાવ જુદી છે; પોતાના પગ ઉપર ઊભા રહી શકાય એટલી આવક કરી શકે, તો જ એ માન અને પ્રતિષ્ઠા સાથે ચાલુ રહી શકે. દરેકે દરેક ક્ષેત્રમાં જોઈશું તો લાગશે કે જ્ઞાન-વિજ્ઞાન કે સાહિત્ય-કળાની વિવિધ શાખાઓના ખેડાણ માટે તે-તે વિષયનું એકાદ સામયિક (અઠવાડિકથી લઈને તે છમાસિક જેવું) પ્રગટ કરવું આવશ્યક લેખવામાં આવે છે. આવું કામ કરતી મોટા ભાગની સંસ્થાઓ પણ પોતાના મુખપત્ર તરીકે એકાદ સામયિક પ્રગટ કરે છે. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy