SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ જિનમાર્ગનું અનુશીલન સમાચારો, વિચારો, સાહિત્ય-સામગ્રી, કથા-વાર્તાઓ, નિબંધો, કાવ્યો વગેરે અનેક લોકભોગ્ય વિભાગો પણ એવા છે, કે જે કોઈ પણ અખબારને સમૃદ્ધ અને વાચનક્ષમ બનાવી શકે. આમ છતાં, આ દિશામાં જૈન સામયિકો સારા પ્રમાણમાં પછાત છે એ જોઈને કોને દુઃખ ન થાય ? બીજી બાજુ આવા વિષયો ઉપર અધિકારપૂર્વક લખી શકે એવા વિદ્વાનો આપણે ત્યાં નથી એવું તો નથી. પણ એ બધાંની વિદ્યાનો સરખી રીતે ઉપયોગ થઈ શકે એવું તંત્ર આપણે ગોઠવી શકતા નથી એ આપણી મોટી કમનસીબી આ ખામી તરફ આપણું ધ્યાન નથી જતું એમ તો કેમ કહી શકાય ? પણ આ માટે જે જરૂરી વ્યવસ્થાતંત્ર અને એનાથી ય આગળ વધીને જે સુનિશ્ચિત અર્થતંત્ર ઊભું થવું જોઈએ તે ઊભું કરવા તરફ આપણે હજી એકાગ્ર બન્યા નથી. બાકી તો, આપણે ત્યાં પૈસાની એટલી બધી છત છે, કે જો ધ્યાન આપવામાં આવે તો આવી પ્રવૃત્તિ ઇશારામાત્રથી શરૂ કરી શકાય અને સતત ચલાવી શકાય. જૈનસંઘ આ દિશામાં નિશ્ચય સાથે વિચાર કરે એ ખૂબ જરૂરી અને ઇચ્છનીય આપણા તરફથી ખાસ કરીને જો વિદ્વભોગ્ય સળંગસમૃદ્ધ પત્ર પ્રગટ થતું રહે તો એથી આપણને એક બીજો પણ લાભ છે : અત્યારે દેશનાં અને પરદેશનાં અનેક પત્રોમાં તેમ જ પુસ્તકોમાં જૈન સંસ્કૃતિના કોઈ ને કોઈ અંગ સંબંધી લખાણો પ્રગટ થતાં રહે છે; પણ આપણને એની માહિતી ભાગ્યે જ હોય છે. તેથી ક્યાં જૈન સંસ્કૃતિનું ગૌરવ કરવામાં આવ્યું, કોણે એનું યથાર્થ મૂલ્યાંકન કર્યું અને કોણે એ અંગે ભ્રામક કે ખોટી માહિતી પ્રગટ કરી, તેમ જ કોણે કેવા પ્રકારનો આક્ષેપ કર્યો એ સંબંધમાં પણ મોટે ભાગે આપણે અંધારામાં જ હોઈએ છીએ. આવા પત્ર દ્વારા આવા પ્રકારની માહિતી એકત્ર કરીને શ્રીસંઘને માહિતગાર રાખી શકાય. આમ થવાથી એક બાજુ જેમ આપણે આવી ગેરસમજોને દૂર કરી શકીએ, તેમ ઈતર લોકોની જિજ્ઞાસા જોઈને આપણા અભ્યાસને પણ વધારે એકાગ્ર કરી શકીએ. ક્યારેક-ક્યારેક જૈન સામયિકોના સંચાલકો, સંપાદકો કે તંત્રીઓની પરિષદુ ભરવાનું સૂચન થાય છે, કોઈક-કોઈક ફિરકામાં ક્યારેક આવું આયોજન થયું પણ છે. પરિષદો, સંમેલનો કે સમારંભોની ભીડવાળા અત્યારના સમયમાં આ સૂચન એકદમ આવકારપાત્ર ન બને એ સ્વાભાવિક છે. આમ છતાં કેટલીક પૂર્વભૂમિકા તૈયાર કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy