SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ સામયિકો અને જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૧ ૪૫૫ દેશમાં એક મોટો વ્યવસાય અને નાનો કે મોટો ઉદ્યોગ પણ બની ગયેલ છે. એટલે અત્યારની સમાજ-રચનામાં એનું ભારે અગત્યનું અને મહત્ત્વનું સ્થાન છે. કોઈ પણ ધર્મ, સમાજ કે રાષ્ટ્રમાં પ્રગટ થતાં વર્તમાનપત્રો કે સામયિકો ધર્મ, સમાજ કે રાષ્ટ્રની સ્થિતિ અને પ્રગતિશીલતાનું માપ દર્શાવનાર પારાશીશીનું કામ કરે છે. તેથી જ અત્યારે આપણા દેશમાં તેમ જ દુનિયાભરના દેશોમાં જુદાંજુદાં સમાજો, ધર્મો, રાષ્ટ્રો, ભિન્ન-ભિન્ન સેવા પ્રવૃત્તિઓ, વિદ્યાની શાખાઓ તેમ જ સાહિત્યપ્રવૃત્તિઓને લગતાં દૈનિકો, અઠવાડિકો, પાક્ષિકો, માસિકો, કૈમાસિકો કે સૈમાસિકો રૂપે લાખો છાપાં કે સામયિકો પ્રગટ થતાં રહે છે અને તેની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે. લોકશિક્ષણ અને પ્રજાના માનસ-ઘડતરની દૃષ્ટિએ આ એક આવકારપાત્ર ચિલ અને પ્રવૃત્તિ છે. આપણે ત્યાં પચાસ-પોણોસો વર્ષના ગાળામાં અખબારી પ્રવૃત્તિનો આટલો ઝડપી અને વ્યાપક વિકાસ થયો, અને છેલ્લા દાયકાઓ દરમિયાન એણે મોટા ઉદ્યોગ જેવું રૂપ ધારણ કરવાને લીધે એમાં કરોડો રૂપિયાનું રોકાણ થવા લાગ્યું છે. એનું મુખ્ય કારણ અખબારી આલમમાં રહેલી વિશિષ્ટ વિધાયક શક્તિ કહી શકાય. દેશના રાજકારણને ધાર્યો વળાંક આપવાની અને માંધાતા ગણાતા રાજકારણી ખેલાડીઓને પણ નિયંત્રણમાં રાખવાની કે એમને જેર કરવાની અખબારોની શક્તિ હવે તો સર્વમાન્ય બની ચૂકી છે. પોતાના હાથમાં અખબાર હોવું એ મોટી સત્તા હોવા જેટલું સામર્થ્ય લેખાય છે, અને કોઈ રોજિંદા અખબારનો કારોબાર તો એકાદ નાના-સરખા રજવાડાના કારોબાર જેવો વ્યાપક અને સત્તાવાહી હોય તેમાં નવાઈ નથી. બાકી તો દુનિયાની અનેક પ્રવૃત્તિઓનાં સારાં અને માઠાં બંને પ્રકારનાં પરિણામો જોવામાં આવે છે – એ વાત અખબારોને પણ એટલી જ લાગુ પડે છે. અખબારો જેમ લોકોને સાથે માર્ગે દોરી શકે છે, તેમ લાગણીને બહેકાવીને સમાજને ખોટી દિશા અને ખોટી પ્રવૃત્તિ તરફ પણ દોરી શકે છે, સ્નેહ-સદ્દભાવને સ્થાને વેરઝેરની વૃત્તિઓનું વાવેતર પણ કરી શકે છે અને સમાજ-સમાજ કે પ્રજા-પ્રજા વચ્ચે પણ ભયંકર વેર જન્માવી શકે છે. આમ સારું-માઠું તત્ત્વ તો એકબીજા સાથે એટલું બધું સંકળાયેલું છે, કે તેને એકબીજાથી જુદું પાડવું શક્ય નથી. એટલે અખબારોનાં પરિણામોનું તટસ્થ વિચારકો દ્વારા અવલોકન-પર્યાલોચન થતું રહે એ લોકહિત તેમ જ વર્તમાનપત્રોની પોતાની તંદુરસ્તી એ બંને દૃષ્ટિએ આવશ્યક છે. થોડાક વખત પહેલાં, કોઈક પ્રસંગે બોલતાં, આપણાં લોકપ્રિય અને વિચક્ષણ વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીએ ભારતના પત્રકારત્વનું કેટલુંક પર્યાલોચન કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy