SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સામયિકો અને 'જૈન'-પત્ર સાથેની લેખકની સહયાત્રા (૧) પત્રકારત્વ એક રીતે કહીએ, તો નવા વર્ષનો આરંભ એ અમારે માટે ધર્મના શુદ્ધીકરણ તેમ જ સમાજના ઉત્થાન માટે જરૂરી એવા નવીન તેમ જ ઉદાર વિચારોનો પુરસ્કાર અને પ્રચાર કરવાની અમારી નીતિનું પુનરવલોકન, પુનઃસ્મરણ અને પુનરુચ્ચારણ કરવાનો પ્રસંગ છે. અમને પોતાને તો એ વાતની લવલેશ પણ શંકા નથી કે સમયના અને પરિસ્થિતિના પરિવર્તનની સાથે જે માનવી અને જે સમાજ તેમ જ રાષ્ટ્ર પોતાના વિચા૨ અને વર્તનનો મેળ સાધી શકે છે, એ જ પોતાની શક્તિને, પોતાના ગૌરવને અને પોતાના મોભાને ટકાવી રાખીને પોતાનો વિકાસ સાધી શકે છે. શિયાળાનો સામનો કરવો હોય તો ઉનાળાનાં મલમલનાં ઝીણાં વસ્ત્રોના બદલે ઊનનાં ગરમ અને જાડાં વસ્ત્રોનો સ્વીકાર ક૨વો જ જોઈએ. - Jain Education International એક યુગવિધાયક અપૂર્વ પરિબળ રૂઢિચુસ્તપણું અને સુધારકપણું – એ ઘણાં વર્ષોથી પ્રચલિત બનેલા જૂના અને નવા વિચારો વચ્ચેના સંઘર્ષનું સૂચન કરતા શબ્દો છે. એ શબ્દો સમાજમાં આજ સુધી ખળભળાટ જન્માવતા રહ્યા છે; સમાજની સુષુપ્તિને દૂર કરવા માટે ચારેક એ ખળભળાટે આંચકાઓ આપવાનું પણ કામ કર્યું છે. આમાં નવીન, એટલે કે સુધારક વિચારોની જ આગેવાની છે. બીજી રીતે નહીં, તો છેવટે વર્તમાનપત્રોના સ્વીકાર અને પ્રચારની દૃષ્ટિએ વિચારીએ તો પણ નવીન વિચારનું મહત્ત્વ સહજમાં સમજી શકાય છે. સુધારકો તો ઠીક, પણ રૂઢિચુસ્તપણાને વળગી રહેવામાં માનનારાઓ પણ વર્તમાનપત્રોના પ્રકાશનમાં જરા ય પાછળ રહેતા નથી – એ બાબત જ નવીન વિચારની મહત્તાને પિછાણવા માટે બસ છે ! આજે હવે એ વાત સમજાવવી પડે એમ નથી, કે વર્તમાનપત્ર એ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર એ બધાંના પ્રવર્તનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે; સાથે-સાથે એ દરેક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy