SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન-વિદ્યાકળાની સામગ્રી : ૨ થોડા દિવસો પહેલાં આ પત્રમાં મુનિ શ્રી શાંતિસાગરજીએ મધ્યપ્રાંતમાંના કેટલાક જૈન અવશેષોનો પરિચય આપ્યો હતો. એ જ રીતે દેશના ચારે ખૂણામાં ઠેરઠે૨ થોડે કે ઘણે અંશે જૈન શિલ્પ-સ્થાપત્યના અનેક અવશેષો મળી જ આવે છે. પણ આ બધા અવશેષોની ઐતિહાસિક દૃષ્ટિએ આટલી ઉપયોગિતા હોવા છતાં, આપણે એનું જતન કરવા માટે કશી જ જોગવાઈ કરી શક્યા નથી એ દુઃખદ છતાં સાચી, અને શ્રીમંત ગણાતી જૈન કોમને માટે કલંક લગાડે એવી બીના છે. આપણે દર વર્ષે ધર્મભાવનાથી પ્રેરાઈને લાખ્ખો રૂપિયાનું ખર્ચ કરીએ છીએ, અને છતાં આવું ઉપયોગી અને ઇતિહાસને માટે ઉપકારક ક્ષેત્ર સાવ અણખેડ્યું રહી જાય છે, તે એમ સૂચવે છે કે ઇતિહાસના સંશોધન કે સંરક્ષણનું મહત્ત્વ આપણને સમજાયું નથી. - બહુ વિચાર કરતાં કંઈક એમ પણ લાગે છે કે ભૂતકાળની ઘટનાઓને કડીબદ્ધ રીતે ઘટાવવાની ઐતિહાસિક તાલાવેલી, તેમ જ કોઈ પણ ઘટના ઉ૫૨ ચડી ગયેલાં કાળજૂનાં પડોને ભેદીને તેનું યથાસ્થિત રૂપે દર્શન કરવાની તટસ્થ સંશોધનવૃત્તિ આપણને વિશેષરૂપે ભાવતી ન હતી. તેથી કર્ણોપકર્ણ આપણે જે કાંઈ સાંભળીએ તેને જ સાચું માની લેવાને આપણે ટેવાઈ ગયા છીએ – ભલે પછી એ સાંભળેલી વાત સાંપ્રદાયિક તાણખેંચ કે વ્યામોહના કારણે ગમે તેવું વિકૃત રૂપ પામી ગઈ હોય. પણ છેલ્લાં પચાસેક વર્ષ દરમિયાન આપણા દેશના આ માનસમાં, અંગ્રેજોના સહવાસના કારણે, કંઈક પલટો આવ્યો છે અને આપણામાં ઇતિહાસ અને સંશોધનની થોડીથોડી તાલાવેલી જાગતી થઈ છે. પરિણામે, કેટલાક અસાધારણ કોટીના વિદ્વાનો પણ આપણે ત્યાં તૈયાર થઈ ગયા છે, અને અત્યારનાં આપણાં નબળાં-સબળાં પણ શિક્ષણધામો વિદ્યાર્થીમાં એ તાલાવેલી પોષવામાં ઉલ્લેખનીય ભાગ ભજવી રહ્યાં છે. અત્યારે ઘડાતા યુગમાં ઇતિહાસ અને સંશોધન અગત્યનો ભાગ ભજવવાનાં છે. જે સમાજ આ ક્ષેત્રમાં એકાગ્ર અને કર્તવ્યપરાયણ રહેશે તે અચૂક પ્રગતિગામી બનશે એમાં શક નથી; કારણ કે એમ કરવાથી કેટલીય નકામી રૂઢિઓ અને નિરર્થક પ્રવૃત્તિઓનો ભાર દૂર કરવાની વિકાસગામી પ્રેરણા મળ્યા વગર રહેતી નથી. ભૂતકાળનું સત્યદર્શન વર્તમાનને ઘડવાનું એક અગત્યનું સાધન છે. જૈન ધર્મ કે જૈન સંસ્કૃતિનો ઇતિહાસ તૈયાર કરવાનાં બીજાં-બીજાં સાધનો પણ આપણી પાસે છે આ સાધનો તે આપણાં આગમો અને તે પરનાં ટીકાઓ, ભાષ્યો વગેરે સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલા બીજા શાસ્ત્રગ્રંથો, અથવા ગુજરાતી-હિન્દીમાં રચાયેલી નાની-મોટી કાવ્યકૃતિઓ, જેમાં રાસાઓ, તીર્થમાલાઓ કે સાયોનો સમાવેશ થાય છે. સીધેસીધાં જીવનચરિત્રો અને પ્રબંધોની સંખ્યા પણ આપણે ત્યાં કઈ નાનીસૂની નથી. આ બધું હોવા છતાં એનું જે દૃષ્ટિએ અધ્યયન, અવલોકન અને સંશોધન થવું Jain Education International ૪૫૧ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy