SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન-વિધાકળાની સામગ્રી : ૧ સભાનો મણિમહોત્સવ ઊજવાયો તે પ્રસંગે પોતાનો સંદેશો મોકલતાં શ્રી ઉમાકાંતભાઈએ પુરાતત્ત્વની વસ્તુઓ, કળા-સામગ્રી તેમ જ પ્રાચીન હસ્તપ્રતોને ચોરાઈ જતી બચાવીને એનું જતન કરવા વિશે ઉપયોગી અને વ્યવહારુ સૂચન કર્યાં હતાં. પ્રાચીન સામગ્રીના જતન અંગે અમે અહીં જે કંઈ કહેવા પ્રેરાયા છીએ તે મુખ્યત્વે આ સૂચનાને અનુલક્ષીને જ એટલે જૈનસંઘના ધ્યાનમાં લાવવા એ સૂચનો અહીં રજૂ કરીએ છીએ : જૈન સાહિત્ય અને ખાસ કરીને કલાકારીગરીમાં છેલ્લાં ત્રીસેક વર્ષથી મારો જે કાંઈ થોડોઘણો અભ્યાસ થઈ શક્યો છે, તે ઉપરથી અને હાલના સંજોગો જોતાં, હું જે થોડાં સૂચનો નીચે વિનમ્રભાવે રજૂ કરું છું, તે આપ આ પ્રસંગે સર્વેના ધ્યાન પર લાવશો તો આભારી થઈશ : ૪૪૯ ‘(૧) જૈન ધાતુપ્રતિમાઓની પરદેશમાં મોટી માંગ ઊભી થઈ છે અને સારા દામ ઊપજે છે. જૈન ભાઈઓ તથા જૈનેતરો મળી આવી મૂર્તિઓ મંદિરોમાંથી પણ ઉપડાવી એની સારી કિંમત ઉપજાવતા સાંભળ્યા છે. તેથી પ્રત્યેક દહેરાસરના વહીવટકર્તા તે તે દહેરાસરની તમામ પ્રતિમાઓની યાદી સાચવે અને તેના ઉપ૨ સંઘના સંભાવિત ગૃહસ્થો સહી કરી વખતોવખત સર્વે ધ્યાન રાખે કે મૂર્તિઓ ઊપડી તો નથી ગઈ ને ? “બીજું, આવી ચોરીઓ પકડાય તે માટે યોગ્ય દિશામાં યોગ્ય પ્રયત્ન થવા જોઈએ. પ્રત્યેક મંદિરની અગત્યની ધાતુપ્રતિમાઓના સવા બે ઇંચ x સવા બે ઇંચ જેટલા નાના ફોટોપ્રિન્ટ, તેની નોંધ સાથે હોય, તો ચોરાયેલી પ્રતિમા બજારમાં આવે ત્યારે તુરત પકડાય. ‘(૨) ખંડિત પ્રતિમાઓને ભંડારી દેવા કે લમાં પધરાવી દેવાને બદલે, અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવામાં મ્યૂઝિયમ જેવો વિભાગ ખોલી તેમાં સાચવવા મોકલી આપવી જોઈએ. ‘(૩) અગત્યની જૈન પ્રતિમાઓનો કલાદૃષ્ટિએ મોજણી (survey) થાય, સારા ફોટા પડે, તેની ઉપરના લેખોના ફોટા પડે અને તે બધાનો અભ્યાસ થઈ શકે તે માટે જૈનસંઘે જરૂરી પ્રબંધ વિચારવો ઘટે. આ કામ ઘણું ખર્ચાળ છે. અને કોઈ પણ સંશોધન (રિસર્ચ) ક૨ના૨ પોતાના જ ખિસ્સા-ખરચથી એને પહોંચી વળી શકતો નથી. ‘(૪) ભંડારોમાંથી પોથીઓ કે તેનાં પાનાં ચોરાય કે કોઈ ખોઈ નાંખે તે અંગે સખત પગલાં લેવાવાં જોઈએ. ‘‘(૫) તમામ ભંડારોના લિસ્ટની એક-એક નકલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં અથવા વધારે ઉચિત તો શ્રી લા. ૬. વિદ્યામંદિરમાં સુરક્ષિત રહે; જેથી દેશના વિદ્વાનો એક જ સ્થળે આ યાદીઓ જોઈ શકે, અને વધારામાં તે-તે ભંડારમાં અત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy