SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ જિનમાર્ગનું અનુશીલન અને હવે, જાણે આવી વસ્તુની સાચવણીની તથા ચોરાઈ ગયેલી ચીજોને પાછી મેળવવાની સરકારી તંત્રની પ્રવૃત્તિને પડકાર હોય એમ, બંદૂકની નળીએ, ચોરધાડપાડુની જેમ, ધોળે દિવસે આવી ચીજો ઉઠાવી જવાની પ્રવૃત્તિ શરૂ થઈ છે ! ચંબાની ખીણના મંદિરમાંની વિષ્ણુની વિશાળ મૂર્તિની ચોરીનો અને એને પાછી મેળવવાનો કિસ્સો કેટલો રોમાંચકારી છે! એક ઘટનામાં ઉઠાઉગીરો ભગવાન મહાવીરની પાષાણની પ્રતિમા ઉઠાવીને નાઠા તો ખરા, પણ તરત જ એમનો પીછો પકડનારા નીકળ્યા. પરિણામે વજનદાર મૂર્તિનું વજન ઉઠાવીને નાસવું અશક્ય થઈ જવાથી મૂર્તિને પછાડીને ખંડિત કરીને એનું મસ્તક લઈને નાસી ગયા ! - જૈનપત્રોમાં સમાચાર છપાયા છે કે સૂરતમાં ગોપીપુરામાં આવેલ શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડારમાંની “કલ્પસૂત્ર'ની જૂની, સચિત્ર, સુવર્ણાક્ષરી હસ્તપ્રત તાજેતરમાં જ ચોરાઈ ગઈ છે; એ મેળવવા માટેના પ્રયાસો તથા એક મુનિશ્રીએ કરેલ અઠ્ઠમની તપસ્યા પણ હજી સુધી સફળ થયેલ નથી. આ બધું, અત્યારે પાપી પૈસાનો વધારો થયો છે તેનું અને એના જ એક ફળરૂપ માનવીની નિર્મર્યાદ બનેલી લોભવૃત્તિનું જ દુષ્પરિણામ છે. આને તે વેપાર કહેવો કે કસાઈનો ધંધો કહેવો, અથવા આવા શોખને કળાનો શોખ કહેવો કે માનવતાનું દેવાળું કહેવું એ જ સમજાતું નથી. આ દુષ્પરિણામને રોકવાનું તો આપણા હાથમાં નથી. પણ આપણાં દેવમંદિરો, સંગ્રહાલયો અને જ્ઞાનભંડારોમાંની આવી કીમતી અને કળામય વસ્તુઓની સાચવણીની વધારે પાકી વ્યવસ્થા કરવાનું તો આપણા હાથમાં છે જ. અને આ માટે તે-તે સ્થાનના વહીવટદારો અને ટ્રસ્ટીઓ વધારે સજાગ બને અને આ માટે પૂરેપૂરો બંદોબસ્ત કરે તો આવી વસ્તુઓની ચોરીઓ પૂરેપૂરી નહીં, તો પણ મોટા પ્રમાણમાં જરૂર અટકાવી શકાય. કેટલાક પ્રસંગોમાં, આપણા અજ્ઞાન કે ભોળપણને કારણે આપણે કેટલીક સંસ્થાઓનો વહીવટ એવી વ્યક્તિઓને સોંપી દઈએ છીએ કે જેનું પરિણામ બિલાડીને દૂધ ભળાવ્યા જેવું જ આવે છે. દરેક સંસ્થાના વહીવટમાં એ માટે હવે ખાસ તકેદારી રાખવાની જરૂર છે, કે જેથી એમાં આવાં સ્વાર્થી તત્ત્વોને પ્રવેશ કરવાનો કે પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો અવસર ન મળે. હવે આ બાબતમાં વિશ્વાસે વહાણ ચાલે તેવી સ્થિતિ મુદ્દલ રહી નથી. વડોદરાના ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહ આપણા દેશના એક સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્, કળાના અભ્યાસી અને ઇતિહાસ-સાહિત્યના જાણકાર છે. જેનકળાના પણ તેઓ અધિકૃત વિદ્વાનું છે. આઠેક મહિના પહેલાં, ભાવનગરમાં, શ્રી જૈન આત્માનંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy