SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૫ પ્રાચીન-વિદ્યાકળાની સામગ્રી : ૧ છે, અને પ્રાચીન શિલાલેખો, તામ્રપત્રો, ગ્રંથોની પુષ્પિકાઓ, સિક્કાઓ વગેરેની જેમ જ તેનું પણ ઐતિહાસિક મહત્ત્વ અંકાવા લાગ્યું છે. એટલે હવે પછી આપણાં મંદિરોમાં પૂજાની પાષાણની કે ધાતુની પ્રતિમાઓ ખંડિત થવાથી કે ઘસારો વગેરે બીજા કોઈ કારણસર પૂજનને યોગ્ય ન રહે, તો એને પૂજનને સ્થાનેથી ભલે હટાવી લઈએ, પણ એમને જળમાં પધરાવી દેવી કે ભોંયમાં ભંડારી દેવી એ કોઈ રીતે યોગ્ય નથી; કારણ કે એનાં શિલ્પ અને શિલાલેખ વગેરેના કારણે એનું ઐતિહાસિક મહત્ત્વ ખંડિત નથી થતું. તેથી અમે સમસ્ત જૈનસંઘને અને શ્રમણ-સમુદાયને આ સંબંધી તત્કાળ વિચાર કરીને સ્પષ્ટ માર્ગદર્શન કરાવવા આગ્રહપૂર્વક વિનવીએ છીએ. (તા. ૮-૮-૧૯૫૩ અને ૧૩-૬-૧૯૫૯ પરથી) જૂના વખતમાં પુરાતત્ત્વના અવશેષોના જેવી જ સ્થિતિ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોની હતી. આવાં લાખો પુસ્તકો જરૂરી સાર-સંભાળને અભાવે, ભંડારોમાં પડ્યાંપડ્યાં, ભેજ અને ઊધઈનો ભોગ બનીને નામશેષ બની ગયાં; એટલું જ નહીં, કેટલાક પ્રસંગોમાં તો કોઈ પણ કારણસર વેરવિખેર કે જીર્ણ બની ગયેલા આવા ગ્રંથોને આપણે ભંડારમાં જગ્યા રોકી રાખનાર ઉપાધિરૂપ માનીને એને જળશરણ કરી દેવામાં કે ગમે ત્યાં ફેંકી દેવામાં જ રાચતા રહ્યા ! વળી, કોઈ એને સત્તાના જોરે ઉપાડી જતું હોય કે એના બદલામાં મૂઠીભર પૈસા આપતું હોય તો એની સામે પણ આપણે આવા અમૂલ્ય વારસાનું જતન કરવામાં ઠીકઠીક પ્રમાદી રહ્યા. પરદેશનાં પુસ્તકાલયોમાં મળી આવતી કેવળ જૈન સાહિત્યની જ નહીં, પણ સમગ્ર ભારતીય સાહિત્યની સંખ્યાતીત પ્રાચીન હસ્તપ્રતો આપણી ઉપેક્ષાવૃત્તિની કથા સંભળાવે છે. અરે, અત્યારે પણ એવા (અલબત્ત, પ્રમાણમાં ઓછા) પ્રસંગો જોવા મળે છે, જ્યારે હસ્તલિખિત ગ્રંથોનું મૂલ્યાંકન સારાં પાનાં અને સારા અક્ષરોને આધારે કરવામાં આવે છે, અને જીર્ણ જેવા છતાં ખરી રીતે ખૂબ કીમતી અને વિરલ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનું સાચું મૂલ્ય સમજવામાં આપણે હજી પણ પાંગળા સાબિત થઈએ છીએ. પણ, અંગ્રેજોની દેખાદેખીથી જેમજેમ આપણે આધુનિક વૈજ્ઞાનિક સંશોધન-સંપાદનની ઉપયોગિતા સમજતા થયા, તેમતેમ આવા જીર્ણશીર્ણ હસ્તલિખિત ગ્રંથોનું અને એમાં રહેલી કળામય ચિત્રસામગ્રીનું પણ મહત્ત્વ સમજતા થયા એટલું આપણું સદ્ભાગ્ય. એને લીધે આપણા અનેક હસ્તલિખિત ભંડારોને આપણે સુરક્ષિત તથા સુવ્યવસ્થિત બનાવ્યા, અને લાખો હસ્તપ્રતો વધુ વિનાશમાંથી ઊગરી ગઈ. આમ છતાં હજી એવા કેટલાક ભંડારો છે, જે ઉપેક્ષિત જેવા છે, અને એમાંની સંખ્યાબંધ હસ્તપ્રતો નામશેષ થઈ જવાનો ભય છે. આવા એક ઉપેક્ષિત હસ્તલિખિત ગ્રંથભંડાર તરીકે ઘોઘાતીર્થના ભંડારનું નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy