SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ જિનમાર્ગનું અનુશીલન પ્રાકત ભાષા અને સાહિત્યના આ મહત્ત્વની સામે એના અધ્યયન-અધ્યાપન માટે જૈનસંઘમાં તેમ જ અન્યત્ર પણ અત્યારે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેનો વિચાર કરતાં પળવાર વિમાસણમાં પડી જવાય છે; ક્યાં આવો મહત્ત્વનો વિષય અને ક્યાં એના અધ્યયન-અધ્યાપન અને ઉત્તેજન-પ્રસારણ માટેની નબળી-પાંગળી વ્યવસ્થા ! - પ્રાકૃત ભાષા અને સાહિત્યનું આવું મહત્ત્વ પિછાણીને જૈનસંઘે પોતે જ એના મર્મસ્પર્શી, સર્વસ્પર્શી અધ્યયન માટે દેશમાં જુદે જુદે સ્થળે પાંચ-સાત સમર્થ અધ્યયનકેન્દ્રો સ્થાપવાં જોઈતાં હતાં. વળી, આજથી આશરે પોણોસો વર્ષ પહેલાં પરદેશના કોઈકોઈ વિદ્વાનોએ પ્રાકૃત ગ્રંથોનું અધ્યયન-સંશોધન-પ્રકાશન કરીને આપણને આપણા આ જ્ઞાનવારસાના મહત્ત્વનો ખ્યાલ પણ આપ્યો હતો. છતાં આ દિશામાં આપણે ખાસ નોંધપાત્ર કાર્ય ન કરી શક્યા ! બીજી બાજુ, આપણા મોટા ભાગના તેજસ્વી વિદ્યાર્થીઓનું વલણ વિજ્ઞાન. વાણિજ્ય અને ટેક્નોલોજીના અભ્યાસ તરફ વધતું જાય છે. આવી સ્થિતિમાં પ્રાકૃતસંસ્કૃત જેવી પ્રાચીન ભાષાઓના અધ્યયન પ્રત્યે વિદ્યાર્થીઓમાં અને શાળામહાશાળાઓમાં ઉદાસીનતા વધવા લાગે છે એ સમજાય તેમ છે. આવી વિષમ પરિસ્થિતિમાં પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયનને માધ્યમિક તેમ જ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં, અનુસ્નાતકક્ષેત્રે અને સંશોધન-સંપાદનમાં એના મહત્ત્વને અનુરૂપ સ્થાન મળી રહે એવો સમર્થ પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. યોગ્ય વિદ્યાર્થીઓને જરૂરી આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન મળતું રહે એ માટે પણ ખાસ માર્ગદર્શક અને સહાયરૂપ વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. આ બધું સુવ્યવસ્થિત રીતે અને નિયમિતપણે ત્યારે જ થઈ શકે, જ્યારે એ માટે કોઈ શક્તિશાળી સંસ્થા સ્થાપીને એ બધી જવાબદારી એને સોંપવામાં આવે અને એને આર્થિક તેમ જ અન્ય સહકાર પૂરતા પ્રમાણમાં મળતો રહે. અમારી સમજ મુજબ, અત્યારની પરિસ્થિતિમાં, “પ્રાકૃત-વિદ્યામંડળની સ્થાપના એ આવી જ દીર્ઘકાલીન ખામીને દૂર કરવાનો પ્રશંસનીય પ્રયત્ન છે, અને સમય જતાં એ ખૂબ આશીર્વાદરૂપ બની રહે એવી શક્યતા છે. આ વિષયમાં રસ ધરાવતા કેટલાક વિદ્વાનો આ અંગે કેટલીક પ્રાથમિક વિચારણા કર્યા બાદ, તા. ૧૭-૭-૧૯૬૪ના રોજ પંડિત શ્રી સુખલાલજીને મળ્યા હતા, અને ચર્ચાવિચારણાને અંતે “પ્રાકૃત-વિદ્યામંડળની સ્થાપના કરી હતી અને એના બંધારણ માટે એક સમિતિ નીમી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy