SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ જિનમાર્ગનું અનુશીલન બીજાં સ્થાનોમાં પણ પાલીનું અધ્યાપન કરાવાય છે. પણ એની પૂરી માહિતી હજી સુધી મેળવી શકાઈ નથી. ૪. પ્રાકૃત ભાષાના અધ્યાપકોની નિમણૂક મોટે ભાગે એમ પણ જોવામાં આવ્યું છે કે ઘણાંખરાં વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃત ભણાવવાને માટે એ વિષયના વિશિષ્ટ અધ્યાપકો નથી; સંસ્કૃત અથવા અન્ય ભાષાના અધ્યાપકો જ પ્રાકૃત ભણાવે છે. પ્રાકૃતના વિશિષ્ટ અધ્યાપકોની અછતને લીધે વિશ્વવિદ્યાલયોને એવા લોકોની નિમણૂક કરવી પડે છે, કે જેમણે પ્રાકૃત ભાષાનું ખાસ (સ્પેશ્યલ) વિષય તરીકે અધ્યયન કર્યું નથી હોતું. ૫. પ્રાકૃતના અધ્યયનને પ્રોત્સાહન વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસ તરફ આકર્ષાય એની બહુ જ જરૂર છે, જેથી આધુનિક બધી ભાષાઓનું ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ અધ્યયન સહેલાઈથી થઈ શકે. આ ઉદ્દેશને પૂરો કરવા માટે વિદ્યાર્થીઓને મદદ, છાત્રવૃત્તિ તેમ જ ઇનામો આપીને પ્રોત્સાહન આપવાની ખાસ જરૂર છે, જેથી તેઓ પ્રાકૃત ભાષાનું અધ્યયન મુખ્ય વિષય તરીકે કરી શકે. આ અગત્યની બાબત ઉપર વિશ્વવિદ્યાલયોએ મોટે ભાગે લક્ષ નથી આપ્યું. જે વિશ્વવિદ્યાલયો પ્રાકૃતના અભ્યાસ માટે બહુ ઓછી છાત્રવૃત્તિઓ આપે છે તેની વિગત નીચે મુજબ છે: બિહાર વિશ્વવિદ્યાલય – એમ.એ થી પીએચ.ડી. તથા ડી. લિ. સુધી વારાણસેય સંસ્કૃત વિશ્વવિદ્યાલય – મધ્યમાથી આચાર્ય સુધી નાગપુર વિશ્વવિદ્યાલય – ફક્ત પીએચ.ડી. માટે મુંબઈ વિશ્વવિદ્યાલય – ફક્ત બી.એ. માટે ૬. પ્રાકૃત અને જૈનદર્શનને માટે વ્યાસપીઠ (Chair) કોઈ પણ વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃત અને જૈનદર્શનને માટે કોઈ પણ વ્યાસપીઠ નથી. આવી વ્યાસપીઠો સ્થપાય એવા પ્રયત્નો કરવા જોઈએ. આ બધી માહિતીને અંતે આ અહેવાલમાં પ્રાકૃત-વિદ્યામંડળ તરફથી જણાવવામાં આવ્યું છે: અંતમાં જુદાં જુદાં વિશ્વવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરતાં એ વાત ખાસ અમારા ધ્યાન ઉપર લાવવામાં આવી છે કે ઘણી સંસ્થાઓ પ્રાકૃત વિષયને દાખલ કરવા ઇચ્છે છે, તેમ જ એને પ્રોત્સાહન આપવા ચાહે છે; પરંતુ આર્થિક જોગવાઈના અભાવમાં તેઓ કશું કરી શકતાં નથી. જો એમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy