SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃતાદિનું અધ્યયન : ૩ પ્રાકૃતના જતન માટે આ સંસ્થા દ્વારા ચાલતો પ્રયાસ તેમ જ બીજી સંસ્થાઓ દ્વારા પણ થતું કામ પૂર્ણ સાથ અને સહકારને પાત્ર છે. (તા. ૬-૮-૧૯૬૬) પ્રાકૃતના અધ્યયનને વેગ આપવા અંગે નીચેનાં સામાન્ય સૂચનો ઉપયોગી થશે : (૧) પ્રાકૃત ભાષાના વિકાસ માટે આપણે શું કરવું જોઈએ તે આપણે બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ પાલીના અભ્યાસ માટે જે કર્યું છે તે ઉ૫૨થી સમજી શકીએ એમ છીએ. બૌદ્ધોએ સીલોનમાં, બ્રહ્મદેશમાં, બીજાં સ્થળોએ અને હવે હિંદુસ્તાનમાં પણ પાલીના અભ્યાસ માટે ઉત્તમ વિદ્યાલયોની સ્થાપના કરેલ છે, જ્યાં ગમે તે દેશ, ધર્મ કે જ્ઞાતિનો પાલીનો જિજ્ઞાસુ નિઃસંકોચપણે રહીને પાલી ભાષાનો અને બૌદ્ધ ધર્મનો ઊંડો અભ્યાસ કરી શકે છે. એટલે પ્રાકૃત ભાષાના સંરક્ષણ તથા સંવર્ધન માટે સૌથી પહેલું તો એક વિદ્યાકેન્દ્ર આપણે સ્થાપવું જોઈએ, જ્યાં જિજ્ઞાસુ પ્રાકૃત ભાષાનું તલસ્પર્શી જ્ઞાન મેળવી શકે. જ્ઞાનનિમિત્તે પ્રતિવર્ષ અઢળક નાણું ખર્ચવા છતાં આપણે જૈનો આવું એક પણ વિદ્યાધામ ઊભું નથી કરી શક્યા એ બીના આપણને લાંછન લગાડે એવી છે. ૪૨૭ (૨) પ્રાકૃતના અભ્યાસને વેગ આપવા ઉપર કહેલું વિદ્યાકેન્દ્ર સ્થાપીને સર્વમાન્ય પદવીઓ (ડિગ્રીઓ) કાયમ કરવી જોઈએ, અને એના અભ્યાસીઓની આર્થિક ચિંતા દૂર કરવા સારી એવી શિષ્યવૃત્તિઓ અપાવી જોઈએ. (૩) પ્રાકૃત ભાષાના અભ્યાસમાં ઉપયોગી થાય એવા ગ્રંથો તૈયા૨ ક૨વા જોઈએ. આવા ગ્રંથોમાં મૂળ આખો ગ્રંથ પણ હોય અને જુદાંજુદાં પુસ્તકોમાંથી વીણેલા પાઠોનો સંગ્રહગ્રંથનો પણ હોય. આવાં પુસ્તકો નમૂનેદાર રૂપમાં પ્રગટ થાય અને ઓછામાં ઓછી કિંમતે વિદ્યાર્થીઓને મળે એ ખાસ જરૂરી છે. (૪) ધાર્મિક શિક્ષણમાં વિદ્યાર્થીઓ અનેક પ્રાકૃત સૂત્રો મોઢે કરે છે, છતાં અત્યારની પદ્ધતિમાં પ્રાકૃત-ભાષાના અભ્યાસને સ્થાન નથી. એટલે એ પદ્ધતિમાં એ દિશાનો ફેરફાર કરવો. (૫) પ્રાકૃત અને સંસ્કૃતને સમાન ન્યાય મળે તે માટે પંડિત શ્રી સુખલાલજીએ અન્યત્ર સૂચવ્યા મુજબ કોઈ પણ સંસ્કૃત ભાષાનો અધ્યાપક (કૉલેજોમાં) એવો નીમવામાં ન આવે કે જેણે પ્રાકૃત ભાષાઓનું કમ-સે-કમ ભાષાની દૃષ્ટિએ અધ્યયન ન કર્યું હોય. એ જ રીતે કોઈ પણ પાલી કે પ્રાકૃત ભાષાનો અધ્યાપક એવો ન નિમાય, જેણે સંસ્કૃત ભાષાનું જરૂરી પ્રામાણિક અધ્યયન ન કર્યું હોય.” (તા. ૧૨-૭-૧૯૫૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy