SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ જિનમાર્ગનું અનુશીલન પં. શ્રી બેચરદાસજી દોશી, અને પં. શ્રી દલસુખભાઈ માલવણિયા ગાઢ રીતે સંકળાયેલા છે, અને એમની રાહબરી નીચે કામ ચાલી રહ્યું છે.* પણ એમની નિપુણતાનો વિશેષ લાભ મળે અને આગમગ્રંથોના સર્વાગીણ પ્રકાશનમાં વધુ વેગ આવે તે માટે એમને સુયોગ્ય સહાયક વિદ્વાનો મળી રહે એ જરૂરી છે. વળી, સ્થાનકવાસી તેમ જ તેરાપંથી ફિરકાનું ધ્યાન પણ આગમપ્રકાશનની દિશામાં સારા પ્રમાણમાં ગયું છે, અને એ માટે યથાશક્ય પ્રયત્નો પણ થઈ રહ્યા છે. આ પ્રયત્નોમાં સંશોધન-પદ્ધતિનો ઉપયોગ ન થતો હોય કે ઓછો થતો હોય ત્યાં એનો પૂરેપૂરો ઉપયોગ થાય તો આ પ્રકાશનો ખૂબ ઉપયોગી અને મૂલ્યવાન બની રહે. ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલીમાં બિહાર સરકાર દ્વારા સ્થપાયેલ વૈશાલી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી એન્ડ પ્રાકત' એ સંસ્થા પણ જૈનવિદ્યા. અને પ્રાકૃત ભાષાના અધ્યયન-અધ્યાપનને અને એ અંગેના સાહિત્યના સંશોધનપ્રકાશનને વરેલી છે; ત્યાં આ દિશામાં કેટલુંક કામ થઈ રહ્યું છે. પણ આ સંસ્થાનો વિશેષ વિકાસ હજી બાકી છે, અને એનો લાભ પણ જોઈએ તેટલો લેવાતો નથી. પ્રાકૃત-વિદ્યામંડળ શાળા-મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયન-અધ્યાપનને પ્રોત્સાહન આપવાના મુખ્ય ધ્યેયથી બે-એક વર્ષ પહેલાં અમદાવાદમાં સ્થપાયેલ પ્રાકૃત-વિદ્યામંડળ આ દિશામાં કંઈક નવી આશા જન્માવે એવી સંસ્થા છે. સરકારી-અર્ધસરકારી શિક્ષણ સંસ્થાઓ ઉપરાંત બીજી જે કોઈ સંસ્થાઓ મારફત આ કામ થઈ શકે એમ હોય એનો સંપર્ક સાધીને એ દિશામાં પ્રયત્ન કરવો એ પણ આ સંસ્થાનો ઉદ્દેશ છે. અને અધ્યયનમાત્રના પાયારૂપ લેખાતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તરફ આ સંસ્થાનું ધ્યાન શરૂઆતથી જ ગયું છે એ સારું થયું છે.* પંડિત શ્રી બેચરદાસજી આ મંડળના અધ્યક્ષ, શ્રી દલસુખભાઈ માલવણિયા એના એક મંત્રી અને પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી, પં.શ્રી સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી, ડૉ. પી. એલ.વૈદ્ય, ડૉ. એ. એન. ઉપાધ્ધ જેવા પ્રથમ પંક્તિના વિદ્વાનો એના સંમાન્ય સભ્યો છે. *સમયાનુક્રમે આમાં શ્રી અમૃતલાલ ભોજકનો મૂલ્યવાનું દીર્ઘ પરિશ્રમ તથા વિદ્ધન્વર્ય પૂ. જંબૂવિજયજી મહારાજનું સમીક્ષિત સંપાદનનું ઉન્નત નેતૃત્વ ભળ્યાં છે. – સં. + પ્રાકૃત વિદ્યામંડળનો અલગ પરિચયલેખ આ વિભાગમાં સાતમા ક્રમે સામેલ કરેલ છે. -- સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy