SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૫ પ્રાકૃતાદિનું અધ્યયન : ૩ એને દરેક પ્રકારનો અને ખાસ કરીને આર્થિક સહકાર આપવો અને વિદ્યાર્થીઓ પ્રાકૃત ભાષા અને સાહિત્યનું અધ્યયન કરવા પ્રેરાય એવું પ્રોત્સાહન આપવું. આવા પ્રયત્નોના એક અનિવાર્ય અંગ રૂપે આપણાં મોટા ભાગનાં સાધુ-સાધ્વીઓએ ઊંડી રુચિથી પ્રાકૃતનું વ્યાપક અને તલસ્પર્શી જ્ઞાન મેળવી લેવું જ જોઈએ; અને આ માટેનાં કેન્દ્રો જૈનસંઘે સ્થાપવાં જોઈએ. અત્યારે મોજૂદ આવાં અધ્યયન-કેન્દ્રોમાં સ્થાનકવાસી સંઘે વડિયા, રાજકોટ, વ્યાવર તેમ જ બીજાં સ્થાનોમાં સ્થાપેલી સિદ્ધાંત-શાળાઓ, પ્રાકૃત અને ધાર્મિક પરીક્ષાઓ લેતું પાથરડી બોર્ડ, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘમાં મહેસાણાની શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા, મુંબઈમાં થોડા વખત પહેલાં ગોડીજીના ઉપાશ્રયમાં સ્થપાયેલ પાઠશાળા તથા પાટણ, ખંભાત જેવાં સ્થાનોમાં કામ કરતી સંસ્થાઓ ગણાવી શકાય. પણ આધુનિક દષ્ટિ અને પદ્ધતિ મુજબ પ્રાકૃતના સુવ્યવસ્થિત અધ્યયન માટે જે સગવડ જોઈએ, એ સગવડ આ સંસ્થાઓમાં નહીં જેવી છે. આવી પદ્ધતિથી પ્રાકૃત ભાષા અને સાહિત્યનો અભ્યાસ કરાવી શકે એવા અધ્યાપકોની પણ આપણે ત્યાં ખૂબ તંગી છે. પ્રાકૃત સાહિત્યના પ્રકાશનની દૃષ્ટિએ વિચાર કરીએ તો છેલ્લાં પચાસેક વર્ષ દરમિયાન અનેક સંસ્થાઓએ આ દિશામાં નોંધપાત્ર કામ કર્યું છે. તેમાં ય સૂરતની બે સંસ્થાઓ – શ્રી આરામોદય સમિતિ અને શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડ દ્વારા થયેલું કામ નમૂનારૂપ લેખી શકાય. ભાવનગરની ત્રણ પ્રકાશન સંસ્થાઓ શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા અને શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા તેમ જ અન્ય સ્થાનોની બીજી સંસ્થાઓએ પોતાની રીતે આ દિશામાં કામ કર્યું છે, અને હજી પણ કરી રહેલ છે. દિગંબર ફિરકામાં જ્યધવલા, મહાધવલા વગેરેનાં પ્રકાશનો પણ પ્રશંસા માગી લે એવી સારી રીતે થયાં છે. આપણા આગમ-સાહિત્યને સંશોધનની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે સંપાદિત કરીને પ્રકાશિત કરવાની જરૂરની પૂર્તિ પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી (આગમપંચાંગીનું પ્રકાશનએ, શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ (આગમકોશ) અને શ્રી મહાવીર જૈનવિદ્યાલય, મુંબઈએ (મૂળ સમીક્ષિત પાઠ) હાથ ધરેલી યોજનાઓ દ્વારા થઈ રહેલ છે. પણ આવું ઉચ્ચકોટીનું સંશોધન-કામ કરવા માટે આપણી નજર અમુક વિદ્વાનો તરફ જ મોટે ભાગે જાય છે, અને તેઓ જ ગજા ઉપરાંત કામ ખેંચીને પણ આ કાર્યને આગળ વધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહેલ છે. દાખલા તરીકે, ઉપર જણાવેલ ત્રણે સંસ્થાઓ સાથે પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy