SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ જિનમાર્ગનું અનુશીલન વચ્ચે આદાન-પ્રદાન થયા વગર ન રહે. એટલે જ્યારે પણ ભારતની આ ધર્મસંસ્કૃતિઓને જાણવી-સમજવી હોય, ત્યારે તે સંસ્કૃતિનાં ધર્મશાસ્ત્રોના કલેવરરૂપ ભાષાનો બોધ હોવો જરૂરી બની જાય છે. પ્રાકૃત, સંસ્કૃત અને પાલિ ભાષાઓના અને એ દ્વારા જૈન, બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરાઓના અધ્યયનની વર્તમાન સ્થિતિનો વિચાર કરીએ છીએ ત્યારે નિરાશા સાંપડે છે; બલ્ક, જાણે આપણી સામે મોટું સાંસ્કૃતિક સંકટ ઊભું થયું હોય એમ લાગે છે. આ સંકટ એવું તો મોટું છે કે તેને લીધે માણસની માણસાઈ અને ગુણસંપત્તિ જ જોખમાતી લાગે છે. આ સંકટને ટાળવાનો એકમાત્ર ઉપાય માનવજીવનમાંથી ઓસરી રહેલી ધર્મચેતનાને સજીવન કરવી એ છે; અને આ માટે આપણાં ધર્મશાસ્ત્રોની મૂળ ભાષાઓનું પણ સંગીન અધ્યયન વ્યાપક બને એ જરૂરી છે. જૈન ધર્મશાસ્ત્રોની મૂળ ભાષા પ્રાકૃત હોવા છતાં, એના પદ્ધતિસરના અધ્યયન પ્રત્યે જૈનસંઘમાં જે ઉદાસીનતા પ્રવર્તે છે, તે આપણને ગુનેગારના પાંજરામાં ખડા કરાવે એવી છે. અરે જૈનધર્મ, જૈનસંસ્કૃતિ અને પ્રાકૃત ભાષા તથા સાહિત્યના અભ્યાસી વિદેશી વિદ્વાનોએ પ્રાકૃત ભાષાનું પદ્ધતિસરનું અને સર્વાગીણ અધ્યયન કરીને આપણી સામે એક ઉત્તમ આદર્શ રજૂ કર્યા છતાં એના ઉપરથી પણ પ્રેરણા લેવામાં આપણે પાછળ રહી ગયા ! આમ થવાનું મુખ્ય કારણ એ છે, કે આપણે ધર્મની વ્યાપક ભાવનાને ભૂલીને કટ્ટર સાંપ્રદાયિકતાએ ઊભા કરેલા નજીવા મતભેદો પર “કાગનો વાઘ કરીને એની સાઠમારીમાં જ પડી ગયા. એ ગમે તેમ હોય, પણ હવે “જાગ્યા ત્યારથી સવાર' ગણીને આ નુકસાનીનો ધંધો સત્વર બંધ કરવાની અને પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયનને બધા ય જેન ફિરકાઓમાં, માધ્યમિક શાળાઓમાં, કોલેજોમાં, વિશ્વવિદ્યાલયોમાં અને સાંસ્કૃતિક કે શાસ્ત્રીય સંશોધનનું કામ કરતી બધી સંશોધન-સંસ્થાઓમાં સારા પ્રમાણમાં વેગ અને પ્રોત્સાહન મળે એવો સમર્થ પ્રયત્ન કરવાની જરૂર છે. પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયનને માટે અત્યારે આપણા દેશમાં જાહેર કે સરકારી સંસ્થાઓમાં જે કંઈ અલ્પ સગવડ છે, તે એકાદ પચીશી પહેલાં કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં જે સગવડ હતી તેના મુકાબલામાં ઘણી નબળી છે અને ક્રમશઃ ઘટતી જાય છે. તો પછી જૈનસંઘની એ ફરજ બની જાય છે કે એણે સાંપ્રદાયિક દૃષ્ટિથી મુક્ત બનીને, નિર્ભેળ વિદ્યા-ઉપાસનાની ભાવનાથી, ખાનગી રાહે પોતા તરફથી પ્રાકૃતના અધ્યયનની માતબર સગવડ ઊભી કરવી, જે સંસ્થાઓ એ દિશામાં કામ કરતી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy