SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃતાદિનું અધ્યયનઃ ૩ ૪૨૩ કર્યો હતો. આ બીના જૈન સાહિત્યમાં છુપાયેલી જ્ઞાન અને સંસ્કારિતાની સાર્વજનિક વિપુલ સમૃદ્ધિનો પણ ખ્યાલ આપે છે. તરસ્યો વગર કહ્યું જળાશય તરફ જાય છે. અને છતાં હવે એ કબૂલ કર્યા વગર ચાલે એમ નથી કે પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસીઓની સંખ્યા આપણા દેશમાં તેમ જ પરદેશમાં પણ ઘટતી જાય છે. આનું મુખ્ય કારણ ઘણું વ્યાપક છે; તે છે કાબેલ અને બુદ્ધિશાળી વિદ્યાર્થીઓમાં વિનયનના વિષયોના અધ્યયન પ્રત્યે ઉત્તરોત્તર ઘટી રહેલું અને વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇજનેરી, દાકતરી વગેરે વિષયોના અધ્યયન તરફ બેફામ વધી રહેલું આકર્ષણ. વિનયન વિદ્યાશાખાના એટલે કે સાંસ્કૃતિક, ઐતિહાસિક, સાહિત્યિક, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક જેવા વિષયોના અભ્યાસીઓ બાબતે આપણે ત્યાં તેમ જ વિદેશમાં પણ પ્રથમ પંક્તિના વિદ્યાર્થીઓની ખોટ વરતાય છે. વિજ્ઞાન તરફની દોડની માઠી અસર જેમ પ્રાકૃતના અભ્યાસ ઉપર થઈ છે, એ જ રીતે સંસ્કૃતના અભ્યાસ ઉપર પણ થઈ છે; બલ્ક પ્રમાણની દૃષ્ટિએ તો આ અસર વધુ વ્યાપક લાગે છે. પરંતુ સંસ્કૃતનાં અધ્યયન-અધ્યાપન જારી રાખવા માટે તો વિશ્વસંસ્કૃત પરિષદુ, બનારસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દરભંગાની સંસ્થા અને બીજી નાની-મોટી સંખ્યાબંધ સંસ્થાઓ દ્વારા સમર્થ પ્રયત્નો ચાલી રહ્યા છે. પાલિ ભાષામાં રચાયેલા બૌદ્ધ પિટકોનો અભ્યાસ તો, બૌદ્ધ ધર્મના વ્યાપક પ્રસારને લીધે, અત્યારે પણ સારા પાયા ઉપર સર્વત્ર ચાલી રહ્યો છે, અને વિશ્વભરના વિદ્વાનો એમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. એટલે સૌથી શોચનીય અને ચિંતાજનક સ્થિતિ પ્રાકૃત ભાષા અને સાહિત્યનાં અધ્યયન-અધ્યાપનની છે. આ દુઃખદ સ્થિતિના નિવારણ માટે બે રીતે પ્રયત્ન થવો જોઈએ: એક તો જૈન સાધુઓ અને સાધ્વીઓએ (તેમ જ ધર્મજિજ્ઞાસુ શ્રાવકો તથા શ્રાવિકાઓએ પણ) ખૂબ પ્રયત્નપૂર્વક પ્રાકૃત ભાષા અને સાહિત્યનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવવું જોઈએ; અને બીજું, પ્રાકૃત ભાષા-સાહિત્યના અધ્યયનને પૂરેપુરું પ્રોત્સાહન મળે એવો સમર્થ અને નિષ્ઠાભર્યો પ્રયત્ન થવો જોઈએ. (તા. ૩૦-૭-૧૯૬૬) ભારતીય ધર્મસંસ્કૃતિની મુખ્ય ત્રણ ધારાઓ તે જૈન, બ્રાહ્મણ અને બૌદ્ધ. એ ત્રણે ધર્મસંસ્કૃતિઓનાં ધર્મશાસ્ત્રો અર્ધમાગધી, સંસ્કૃત અને પાલિમાં રચાયાં. ભારતની આ ત્રણે ધર્મસંસ્કૃતિની ધારાઓ સ્વતંત્ર રીતે વહેતી લાગવા છતાં, એમાંની કોઈ પણ એકનું અથવા એ ત્રણે ય દ્વારા સમગ્ર ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવું હોય તો એ ધર્મસંસ્કૃતિઓના તટસ્થ, ઐતિહાસિક તેમ જ તુલનાત્મક અધ્યયનની અપેક્ષા રહેવાની જ; કારણ કે એક સાથે, એક જ પ્રદેશમાં વહેતી ધર્મસંસ્કૃતિની ધારાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy