SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ જિનમાર્ગનું અનુશીલન વ્યાજ સાથે પૂર્તિ થતી હોય એમ, દક્ષિણ ભારતની તામીલ વગરે લોકભાષાઓમાં અને પશ્ચિમ ભારતની ગૂર્જર, રાજસ્થાની વગેરે લોકભાષાઓમાં હજારો નવી-નવી જૈન કૃતિઓની રચના થવા લાગી. તે બીના ધર્મશાસ્ત્રની રચના માટે પણ લોકભાષાને અપનાવવાની જૈન સંસ્કૃતિની મૌલિક પ્રણાલિકાનું જ સાતત્ય દર્શાવે છે. આમ છતાં, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારનું મૂળભૂત જ્ઞાન મેળવવાનું કેવળ મહત્ત્વનું જ નહીં, પણ પાયાનું સાધન અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં રચાયેલાં અંગ, ઉપાંગ વગેરે આગમગ્રંથો જ છે. એટલે સંસ્કૃત ટીકાઓ કે લોકભાષામાં થયેલી ટબા, બાળાવબોધ જેવી રચનાઓની સહાયથી આગમોને સમજવાનું ખૂબ સહેલું થઈ પડવા છતાં, મૂળ વસ્તુની જે જિજ્ઞાસા હોય તેને સંતોષવાનું તથા અર્થઘટન અંગે કંઈ શંકા ઊભી થઈ હોય કે મતભેદ જોવામાં આવતો હોય તેનું નિરાકરણ કરવાનું એકમાત્ર સાધન મૂળ આગમો જ છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી અને અર્ધમાગધી ભાષા જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનની ખાણ સમાન આગમોના કલેવરરૂપ હોવાથી, આપણા સંઘમાં, અને ખાસ કરીને આપણા મુનિરાજો અને સાધ્વીસમુદાય માટે આ ભાષાનું પદ્ધતિસરનું તલસ્પર્શી અને વ્યાપક જ્ઞાન જરૂરી છે. પણ અત્યારે એ વર્ગમાં આ ભાષાના જ્ઞાનના વ્યાપનો અંદાજ મેળવવામાં આવે તો નિરાશા સાંપડે એવી સ્થિતિ છે. ખરી રીતે તો જૂજ અપવાદને બાદ કરતાં, સમગ્ર સાધુ-સમુદાય અને સાધ્વી-સમુદાયને પ્રાકૃત ભાષાનું જ્ઞાન એમના ત્યાગી-જીવનની શરૂઆતમાં જ અપાવું જોઈએ. પણ પ્રાકૃત જ્ઞાનની આવી અનિવાર્યતા આપણને સમજાવી હજી બાકી છે. પણ, હવે તો એ વાત આપણને બરોબર ઠસવી જોઈએ કે પ્રાકૃત ભાષાના જ્ઞાન વગર આપણને ચાલવાનું નથી. ધર્મશાસ્ત્રોની મૂળ ભાષા પ્રત્યે ઉદાસીનતા સેવીને આપણો ત્યાગી-સમુદાય ન તો સ્વયં ધર્મતત્ત્વનો કે ધર્મશાસ્ત્રોનો જ્ઞાતા બની શકવાનો છે, કે ન તો એના સાધુત્વનો પ્રભાવ વિસ્તરવાનો છે. અને જ્યારે જૈનધર્મના અનુયાયીઓ પોતે જ ઊઠીને પ્રાકૃત ભાષા અને સાહિત્યનાં અધ્યયન-અધ્યાપન પ્રત્યે આવી ઉદાસીનતા સેવતા હોય ત્યારે બીજાઓ એનાં અધ્યયન-અધ્યાપન કરે એવી અપેક્ષા આપણાથી કેવી રીતે રાખી શકાય? પણ આના અનુસંધાનમાં અહીં એક પ્રેરક વાતની નોંધ લેવી ઘટે છે. પ્રાકૃતના અધ્યયન અંગે જૈનસંઘમાં શું ચાલી રહ્યું છે એની ગણતરી કર્યા વગર, છેલ્લા સૈકા દરમિયાન આપણા દેશના તેમ જ પરદેશના પણ સંખ્યાબંધ વિદ્વાનોએ અર્ધમાગધી વગેરે પ્રાકૃત ભાષા અને આગમ સાહિત્યનાં અધ્યયન-અધ્યાપન માટે નોંધપાત્ર પ્રેરક અને સમર્થ પ્રયત્ન કર્યો છે. આવો પ્રયત્ન કેટલાકે સ્વયંભૂ જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy