SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃતાદિનું અધ્યયન : ૧ ૪૧૭ પ્રાકૃત અને અત્યારની હિન્દી તેમ જ એની ભગિની-ભાષાઓની વચગાળાની કડી અપભ્રંશ હતી. આમ છતાં આપણા લોકોને અત્યારે પણ અપભ્રંશ સાહિત્યનો કેટલો અભાવ તેમ જ કેટલો ઓછો પરિચય છે, એ વાત એટલા ઉપરથી જાણી શકાશે, કે કેટલાય જૈન ભંડારોમાંના પ્રાકૃત અને અપભ્રંશ એ બંને ભાષાઓના ગ્રંથોને પ્રાકૃત માનીને એ રીતે એમને યાદીઓમાં દર્શાવવામાં આવ્યા છે. સ્વયંભૂ, દેવસેન, પુષ્પદંત, યોગીન્દુ, રામસિંહ, ધનપાલ, હરિભદ્રસૂરિ, કનકામર, જિનદત્તસૂરિ વગેરે ઘણા ય પ્રતિભાશાળી અપભ્રંશ કવિઓનાં મહાકાવ્યો આદિ કાવ્યસાહિત્યનું રક્ષણ કરીને અપભ્રંશ સાહિત્યના અત્યારે પણ મળતા મોટા જથ્થાને આપણી રામક્ષ રજૂ કરવાનું કાર્ય જૈન ગ્રંથ-સંરક્ષકોએ જ કર્યું છે. એમણે અપભ્રંશ પદ્ય-સાહિત્યનો મોટો ખજાનો સાચવી રાખ્યો છે, એટલું જ નહીં, એના ગદ્યના નમૂના પણ પ્રાચીન જૈન ભંડારોમાં મળી આવ્યા છે, અને તપાસ કરવાથી હજી વધારે મળી શકે એમ છે.” આમ જૈન ભંડારોમાંથી ઉપલબ્ધ થતા અપભ્રંશ ભાષાના પદ્ય-ગદ્યાત્મક સાહિત્યનો સામાન્ય નિર્દેશ કરીને એનું વિશેષ વર્ણન કરતાં તેઓ લખે છે – “અપભ્રંશ-કાળમાં અપભ્રંશ ભાષામાં રચાયેલી ભિન્નભિન્ન વ્રતો અને પર્વોની કથાઓ કે એમનાં માહાભ્ય અત્યારે પણ મળી આવે છે. આથી એટલું તો જાણી શકાય છે કે લોકશિક્ષણને માટે, ઓછામાં ઓછું ધાર્મિક ક્ષેત્રમાં, જેને આચાર્યો એ વાતનું બરાબર ધ્યાન રાખતા હતા કે અર્ધમાગધી અને સંસ્કૃત નહીં જાણતાં જૈન ગૃહસ્થ સ્ત્રી-પુરુષોને માટે એમની ભાષામાં પુસ્તકોની રચના કરવામાં આવે. જ્યારે અપભ્રંશ ભાષાનું અત્યારની ભાષાઓમાં રૂપાંતર થયું ત્યારે એમણે એ ભાષામાં પણ લખવું શરૂ કર્યું.” આમ જૈન આચાર્યોએ તે-તે કાળની લોકગમ્ય ભાષામાં સાહિત્ય રચ્યાના નિર્દેશ બાદ હિન્દી-ભાષાના વિકાસના અભ્યાસ માટે અપભ્રંશની મહત્તા સૂચવતાં લખાયું છે – “જો શોધ કરવામાં આવે તો અપભ્રંશ-કાળની શરૂઆત (સાતમ-આઠમી સદી) પછી હિન્દીભાષી પ્રદેશની સાહિત્યિક ભાષાનો વિકાસ કેવી રીતે થયો એના શતાબ્દીવાર અને સળંગ દાખલાઓ મળી શકે એમ છે. પણ કમનસીબે આપણી દષ્ટિ સંપ્રદાયોની બહાર નથી જતી. તેથી જૈન કવિઓ અને સાહિત્યકારોના ફાળા તરફ હિન્દીના વિદ્વાનોનું ધ્યાન નથી ગયું. મુનિ જ્ઞાનસાગરજી એ જ પરંપરાના રત્ન છે, કે જેણે શ્રમણ મહાવીર અને બુદ્ધના સમયથી લોક-શિક્ષણને માટે લોકભાષાને મહત્ત્વ આપ્યું છે અને એમાં દરેક સમયે સુંદર રચનાઓ કરી છે.” શ્રી નાહટાજીના પ્રયત્નની પ્રશંસા કરતાં તેમ જ લોકભાષાના સાહિત્યના પ્રકાશનની જરૂર તરફ વિશેષ ધ્યાન દોરતાં શ્રી રાહુલજીએ લખ્યું છે – નાહટાજીએ જૈનોને ત્યાં રહેલા આપણા સાહિત્યિક અને ઐતિહાસિક ખજાનાઓને જાહેરમાં મૂકવાનો જે પ્રયત્ન કર્યો છે, તે બહુ પ્રશંસનીય છે. પરંતુ એમનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy