SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ જિનમાર્ગનું અનુશીલના સંગ્રહ તો બહુ મોટો છે, જેનું પ્રકાશન એટલું સહેલું નથી; સાથોસાથ એ અપ્રગટ રહે એ પણ બરાબર નથી. મેં તો એમને સૂચવ્યું હતું કે યઇપરાઇટર કે સાઇક્લોસ્ટઇલની મદદથી દરેક મહત્ત્વની સામગ્રીની સો-સો નકલો કઢાવીને જો દેશપરદેશના જિજ્ઞાસુ વિદ્વાનો અને વિદ્યાપીઠોને મોકલી આપવામાં આવે તો મોટું કામ થાય.” છેવંટે આ વિષયના ઉચ્ચ અધ્યયનથી થનાર લાભનું સૂચન કરાયું છે – આપણાં વિશ્વવિદ્યાલયોના અધ્યાપકો અને સંચાલકોનું પણ કંઈક કર્તવ્ય છે... જો જાણીતા અને બિન-જાણીતા જૈન ભંડારોમાંની સામગ્રીનું સંશોધન કરવાની પ્રેરણા આપવામાં આવે, તો ઘણાંખરાં અમૂલ્ય રત્નો મળી આવે, અને એનું મૂલ્યાંકન પણ થાય. અહીં એટલું યાદ રાખવું ઘટે કે પાટણ અને જેસલમેરના ભંડારોમાં તો પ્રાચીન દુર્લભ બહુ કીમતી ગ્રંથો છે જ, પરંતુ આપણી વર્તમાન ભાષાને લગતી કેટલીય બહુમૂલ્ય સામગ્રી આગ્રા, કાલપી, લખનૌ જેવાં શહેરોમાંના સામાન્ય લેખાતા જૈન જ્ઞાનભંડારોમાં પણ છે. જો ઉત્તરપ્રદેશના ચાર ભાષા-વિભાગ – અવધી, બુદેલી, વ્રજ અને કૌરવીના પ્રદેશમાં રહેલા જેન ગ્રંથભંડારોનાં વિવરણયુક્ત સૂચિપત્રો તૈયાર કરવા અને એમના ઉપર પૃથક્કરણાત્મક નિબંધો લખવા, ડૉક્ટરેટની પદવીના ઇચ્છુક ચાર યુવાનોને કામે લગાડવામાં આવે તો એથી બહુ લાભ થશે.” જૈન જ્ઞાનભંડારોએ જ્ઞાનનું પુસ્તકોનું જતન બિલકુલ બિનસાંપ્રદાયિક દૃષ્ટિએ, કેવળ જ્ઞાનની સાચવણી કરવાની નિર્ભેળ દૃષ્ટિથી જ કર્યું છે એ વાતની સાક્ષી જૈન જ્ઞાનભંડારોમાંથી મળી આવેલ બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યના અનેક અમૂલ્ય અને અન્યત્ર અલભ્ય પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો ઉપરથી મળી રહે છે. જ્ઞાનનું જતન કરવાની આ પ્રાચીન પ્રથાનું પાલન જૈનો અત્યારે પણ એવું જ કરે છે. પરંતુ આધુનિક લોકભાષાઓ તેમ જ પ્રાકૃત-અપભ્રંશ વગેરે ભાષા અને એમના પારસ્પરિક સંબંધ અંગે ઊંડાં અધ્યયન-સંશોધનનો ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. ભારતવર્ષની આયેંતર સિવાયની લગભગ બધી લોકભાષાનાં મૂળ સંસ્કૃતપ્રાકૃતમાં, વિશેષ કરીને પ્રાકૃતમાં, અને એથી વધુ તો નજીકના સમયની અપભ્રંશમાં રોપાયેલાં છે. વળી અર્ધમાગધી (પ્રકારની) પ્રાકૃત ભાષા તો જૈન સંસ્કૃતિની મૂળ ભાષા લખાય છે; મોટા ભાગનાં પ્રાચીન મૌલિક જૈન શાસ્ત્રો એ ભાષામાં જ રચાયેલાં છે. આમ છતાં પ્રાકૃત-અર્ધમાગધી-અપભ્રંશના અધ્યયન-અધ્યાપનની પરિપાટી આપણે ત્યાં જોઈએ તેવી વ્યવસ્થિત કે અસ્મલિત, તેમ જ ભાષાવિજ્ઞાનની પદ્ધતિ અનુસારની નથી એ વાતનો સ્વીકાર કરવો રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy