SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૮ પ્રત્યે, બીજા ધર્મો કરતાં, વધારે સહિષ્ણુતા ધરાવે છે – એ છે. આવા કિસ્સાઓ ઉત્તર અમેરિકામાં વસતા રેડ ઇન્ડિયનો તેમ જ એસ્કિમોમાં પણ નોંધાયા છે. “જે બારસો કિસ્સાઓનું મેં અધ્યયન કર્યું છે, એમાંના મોટા ભાગના કિસ્સા બાળકોના છે. આ હકીકત શોધ કરનારાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે; કારણ કે બાળકોએ પૂરી પાડેલી હકીકતો મોટાઓએ પૂરી પાડેલી હકીકતો કરતાં વધારે આધારભૂત હોય છે. પુનર્જન્મના મોટી સંખ્યાના કિસ્સાઓમાં જે-તે વ્યક્તિ પૂર્વજન્મમાં હિંસક અંતનો ભોગ બની હોવાનું જાણવા મળે છે. ભારતમાં આવા કિસ્સાઓનું પ્રમાણ પચાસ ટકા જેટલું છે, અને એમાં ખૂન, અપઘાત, અને દાઝયાથી થયેલ મરણનો સમાવેશ થાય છે. પુનર્જન્મના કિસ્સાઓમાં બે દેશોને સાંકળતા કિસ્સાઓ બહુ જ જૂજ મળે છે. આવો એક જૂજ કિસ્સો દિલ્હીમાં મળ્યો છે. પંદર-સત્તરેક વરસની એક છોકરી અત્યારે દિલ્હીમાં રહે છે. આ છોકરી એક રૂઢિચુસ્ત શાકાહારી હિંદુ કુટુંબમાં જન્મી છે. એણે એમ કહીને પોતાના કુટુંબને અચંબામાં નાખી દીધું કે હું મારા પૂર્વભવમાં, યુવાન વયમાં, લંડનમાં રહેતી હતી. એની રીતભાત અત્યારે પણ અંગ્રેજના જેવી છે, અને એ માંસાહાર તરફ રુચિ ધરાવે છે. “હિન્દુસ્તાનમાં મને પુનર્જન્મના ૧૭૦ કિસ્સાઓ મળ્યા છે. “મને લાગે છે કે પુનર્જન્મસંબંધી જ્ઞાન ડૉક્ટરોને ઉપયોગી થઈ શકે એમ છે. એવા પણ દાખલાઓ મળ્યા છે, કે જેમાં એક વ્યક્તિ એ જ વ્યાધિથી પીડાતી હતી કે જેનાથી એ પોતાના પૂર્વજન્મમાં પરેશાન હતી. હિન્દુસ્તાનમાં વનસ્પતિશાસ્ત્રનું અધ્યાપન કરાવતી એક સ્ત્રી-અધ્યાપિકા શ્વાસના વ્યાધિથી પરેશાન હતી. આ અધ્યાપિકા પોતાની એક પૂર્વની જિંદગીમાં આ જ રોગની ભોગ બની હતી. અત્યારે એ પીએચ ડી નો મહાનિબંધ તૈયાર કરી રહી છે.” ડો. સ્ટિવન્સનની પુનર્જન્મના અસ્તિત્વનું સમર્થન કરતી આ શોધ પ્રયોગો ઉપરથી ફલિત થતી વિજ્ઞાનની શોધો અને યોગબળના આધારે પ્રગટ થતાં વિશ્વસત્યો વચ્ચે કેટલો નિકટનો સંબંધ પ્રવર્તે છે તેનું પ્રબળ સૂચન કરી જાય છે. વળી, પુનર્જન્મના સિદ્ધાંતનું આ રીતે વૈજ્ઞાનિક અધ્યયન-અવલોકનના આધારે વિશેષ સમર્થન થાય તો એથી માનવજાતિના ઘડતરને ગુણવત્તાતરફી વળાંક આપવામાં મોટો ટેકો મળી શકે. છેવટે માનવી રાજસત્તાની સજાથી બચવાની તરકીબો અજમાવવા છતાં, જો એના અંતરમાં ઊંડે-ઊડે એ વાતનો આછો-પાતળો પણ ખ્યાલ હશે કે રાજસત્તાની સજાથી કદાચ હું ભલે બચી શકું, પણ પૂર્વજન્મ અને પુનર્જન્મના પાયારૂપ કર્મરાજાની સત્તાથી એટલે કે જેવી કરણી તેવી ભરણી’ એ કુદરતના અફર નિયમથી તો હું કોઈ રીતે બચી શકવાનો નથી જ નથી, તો એ પોતાની જાતને અનેક દોષો અને પાપોથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યા વગર ન રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy