SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જિનમાર્ગનું અનુશીલન કરવામાં આવતા એના પ્રયોગો વ્યાપક અને મર્મસ્પર્શી બને છે, ત્યારે એ કેટલીક વાર તો આત્મા, કર્મ, પુનર્જન્મ જેવા આધ્યાત્મિક વિષયોના અસ્તિત્વનું સમર્થન કરવામાં ઉપયોગી સાબિત થઈ જાય છે. અમેરિકાના એક માનસચિકિત્સક ડો. ઈઆન સ્ટિવન્સને પોતાના અધ્યયન અને અવલોકનના પ્રકાશમાં તાજેતરમાં (તા. ૨૨-૧૦-૧૯૭૨ના રોજ) નવી દિલ્હીમાં પુનર્જન્મના અસ્તિત્વનું જે રીતે સમર્થન કર્યું, તે ઉપરના અમારા કથનની પુષ્ટિ કરે એવું છે. એનો સાર અંગ્રેજી ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' તથા અન્ય વર્તમાનપત્રોના તા. ૨૩-૧૦-૧૯૭૬ના અંકોમાં છપાયેલો છે; એ અહીં રજૂ કરવો ઉચિત છે: ડૉ. ઈઆન સ્ટિવન્સન અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ મેડિસિનના ન્યૂરોલોજી અને માનસશાસ્ત્ર વિભાગના અધ્યાપક તરીકે કામ કરે છે. સને ૧૯૬૧માં તેઓ પહેલ-વહેલાં હિન્દુસ્તાનમાં આવ્યા, ત્યારથી તેઓ પુનર્જન્મની બાબતમાં સંશોધન કરી રહ્યા છે. તેઓએ ‘વેલ્ડ કેસિસ સજેસ્ટિવ ઑફ રિઇન્કારનેશન' (પુનર્જન્મનું સૂચન કરતા ૧૨ કિસ્સાઓ) નામે એક પુસ્તક પણ લખ્યું છે. તા. ૨૨મી ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં મૌલાના આઝાદ મેડિકલ કૉલેજના ડૉક્ટરોની સમક્ષ બોલતાં ડૉ. સ્ટિવન્સને કહેલું – પુનર્જન્મ એ કેવળ ઉત્તેજનાભરી કલ્પના કે અનુમાન માત્ર છે? ના, એમ નથી. મારા એક હજાર જેટલા કિસ્સાઓના અધ્યયન બાદ મને ખાતરી થઈ છે કે પુનર્જન્મના સિદ્ધાંતનો ઇન્કાર કરી શકાય એમ નથી. દુનિયાભરમાં પુનર્જન્મનો દાવો કરતા બારસો જેટલા દાખલાઓનો અભ્યાસ કર્યા પછી કોઈને માટે પણ એ તારણ ઉપર આવ્યા વગર ચાલે એમ નથી. આવા દાખલાઓમાંના કેટલાક દાખલાઓ માટેનો ગળે ઊતરે એવો ખુલાસો પુનર્જન્મનો સ્વીકાર કરવાથી જ મળી શકે છે. આ ત્રીજા પાસા (third dimension) વિષેના મારા દસ વર્ષના સંશોધનનો સાર એ છે કે આ કિસ્સાઓ પુનર્જન્મના સૂચક હોવાને કારણે એ અંગે વધારે અધ્યયન કરવાની જરૂર છે.” પોતાના અધ્યયન-અવલોકનને આધારે પુનર્જન્મની બાબતમાં વિશેષ પ્રકાશ પાડતાં ડૉ. સ્ટિવન્સન કહે છે – “મારા અધ્યયન પ્રમાણે પુનર્જન્મના કિસ્સાઓના વધુમાં વધુ પ્રસંગો હિન્દુસ્તાન, દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયામાં નોંધાયા છે. કમ્યુટરની મદદથી કરવામાં આવેલ જુદી-જુદી સંસ્કૃતિઓની પારસ્પરિક તુલનાઓ ઉપરથી જાણી શકાય છે કે આનું કારણ હિંદુધર્મ, બૌદ્ધધર્મ અને પશ્ચિમ એશિયામાં વસતી ક્રૂઝ (Druzes- Duruz) જેવી ઉદાર જાતિઓ બાળકોના આવા (પૂર્વજન્મના) દાવાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy