SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૭, ૮ ૧૯ વળી, આ બાબતનો વિચાર કરતી વખતે ધર્મનો મૂળભૂત હેતુ પણ ધ્યાનમાં લેવાની ખાસ જરૂર છે. ધર્મનો પાયાનો હેતુ માનવીના વિચાર, ઉચ્ચાર અને આચારને સત્યમય બનાવીને જ એ ત્રણેને ઈહલોક-પરલોક પરત્વે કલ્યાણસાધક બનાવવાનો છે. આથી ધર્મના નામે જ સત્યની ઉપેક્ષા ન થાય એટલા માટે સાંપ્રદાયિક માન્યતાઓ અને સત્યની શોધ વચ્ચે વિવેક કરવાની અને જ્યાં-ક્યાંયથી મળી આવે ત્યાંથી સત્યને કે સત્યના અંશને સ્વીકારવાની તત્પરતા દાખવવાની ખાસ જરૂર છે. ધર્મ પ્રરૂપેલી અનેકાંતદૃષ્ટિનો આ જ સાર છે. (તા. ૨-૧૧-૧૯૬૮) (૮) પુનર્જનમના અસ્તિત્વનું સમર્થન કરતાં આધુનિક સંશોધનો જેને આજે સામાન્ય રીતે વિજ્ઞાનના નામથી ઓળખવામાં આવે છે, એનો ભાવ મુખ્યત્વે “ભૌતિક તત્ત્વો કે શક્તિઓની શોધ' એવો કરવામાં આવે છે, અને તેથી એ આત્માના અસ્તિત્વને પુરવાર કરવામાં સહાયક નહીં, પણ અવરોધક જ બની શકે – એવી માન્યતા આપણે ત્યાં ઠીક-ઠીક ઘર કરી ગઈ છે. આ માન્યતાના પડઘારૂપે. સમ્યગુ જ્ઞાનનો હેતુ આત્માની હસ્તીને પુરવાર કરવાનો અને આત્મવિકાસના ઉપાયો ચીંધવાનો જ હોય એમ માનીને ભૌતિક શોધખોળોને આ પ્રકારના જ્ઞાનના સીમાડાની બહાર માની લેવામાં આવી છે. પણ વિજ્ઞાન એ પણ જ્ઞાનનો જ એક અંશ કે વિભાગ છે એ પાયાની વાત ધ્યાનમાં લેવામાં આવે, તો વિજ્ઞાનના કાર્યક્ષેત્રની મર્યાદા પૂર્વગ્રહપૂર્વક કલ્પી લઈને એની શક્તિને રૂંધતી આ બંને માન્યતાઓ અધૂરી અને એકાંગી છે એ સમજતાં-સ્વીકારતાં મુશ્કેલી ન પડવી જોઈએ. આનો અર્થ એ થયો કે જ્ઞાન અને વિજ્ઞાન એ બંને મૂળભૂત એક જ ચૈતન્યશક્તિના આવિભવો છે, અને તેથી એ બંને એક યા બીજા રૂપે ભૌતિક તેમ જ આત્મિક તત્ત્વ કે શક્તિના અસ્તિત્વને તેમ જ સ્વરૂપને સમજવામાં ઉપયોગી બની શકે એમ છે. એટલે વિજ્ઞાન બાબત આભડછેટ રાખવાની જરૂર નથી. એક બાજુ જ્ઞાન અને બીજી બાજુ વિજ્ઞાન એમ બંનેના અભિગમને પોતામાં સમાવી શકે એવા વિષયો તરીકે મનોવિજ્ઞાન, માનસચિકિત્સાવિદ્યા જેવા વિષયોને ગણાવી શકાય. જ્યારે માનસચિકિત્સા-વિદ્યાનાં અધ્યયન, સંશોધન અને ઉપચાર રૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy