SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ જિનમાર્ગનું અનુશીલન “સ્થાનકવાસી અને શ્વેતાંબર એ બે ફિરકાઓનું કેટલુંક આગમિક સાહિત્ય તો સાધારણ છે... વીર-પરંપરાનું અસલી સાહિત્ય (તેના બંધારણમાં, ભાષા-સ્વરૂપમાં અને વિષયચર્ચામાં કાંઈક ફેરફાર કે ઘટાડો-વધારો થયો હોય તો વ) વસ્તુતઃ નાશ ન પામતાં અખંડ રીતે હયાત જ રહ્યું છે. આ દૃષ્ટિએ જોતાં એ અસલી સાહિત્યનો વારસો દિગંબર ફિરકા પાસે નથી, પણ શ્વેતાંબર અને સ્થાનકવાસી એ બે પાસે છે. સ્થાનકવાસી ફિરકો કેટલુંક અસલી આગમિક સાહિત્ય ધરાવે છે, પણ તે ડાળ, શાખા, પાંદડાં અને ફૂલ કે ફળ વિનાના એક મૂળ કે થડ જેવું છે. અને તે મૂળ કે થડ પણ તેની પાસે અખંડિત નથી... સ્થાનકવાસી ફિરકાએ અમુક જ આગમો માન્ય રાખી તે સિવાયનાંને માન્ય ન રાખવાની પહેલી ભૂલ કરી. બીજી ભૂલ આગમિક સાહિત્યના અખંડિત વિકાસને અને વિરપરંપરાને પોષતી નિર્યુક્તિ આદિ ચતુરંગીના અસ્વીકારમાં એણે કરી.” પંડિતજીનું આ લખાણ અહીં સ્થાનકવાસી ફિરકાને હીન બતાવવા અમે મુદ્દલ આપ્યું નથી. કોઈ પણ ધર્મ જ્યારે સંપ્રદાય કે ફિરકાનું રૂપ ધારણ કરે છે, ત્યારે એકાંગી વલણને કારણે એના હાથે એક યા બીજા પ્રકારની ભૂલ થઈ જ જાય છે. બધાં ય આગમોની જેમ એનાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા, શ્વેતાંબર મૂર્તિપૂજકોની જેમ, સ્થાનકવાસી સંઘ પણ બહુમૂલી પ્રાચીન સંપત્તિ તરીકે અપનાવે અને જેનોની એકતા અને સંગઠનની ભાવનાને ચરિતાર્થ કરવાની સાથે-સાથે સંસ્કૃતિ અને સાહિત્યના અભ્યદયને સાધવામાં સહાયક બને એ જ અભ્યર્થના. (તા. ૨૬-૧૧-૧૯૫૯) (૪) પરદેશમાં આગમોનું અધ્યયન જૈન આગમો અને સમગ્ર આગમિક સાહિત્યના મર્મજ્ઞ વિદ્વાન “આગમ-પ્રભાકર' મુનિરાજ શ્રી પુણ્યવિજયજીનું નામ દેશ-વિદેશના ભારતીય વિદ્યાના તેમ જ વિશેષ જેનવિદ્યાના જિજ્ઞાસુઓ, અભ્યાસીઓ અને વિદ્વાનોમાં સારી રીતે જાણીતું છે. તેમાં ય અભ્યાસીઓને એમના અભ્યાસમાં ઉપયોગી થાય એવી બહુમૂલી સામગ્રી તેમ જ આધારભૂત માહિતી ગમે તેમ કરીને પૂરી પાડવાની એમની વિરલ તત્પરતા અને ઉદારતાએ તો એમને આ ક્ષેત્રમાં ખૂબ આદરને પાત્ર બનાવ્યા છે. વળી, એક સાચા સત્યશોધકને શોભે એમ ગમે ત્યાંથી, ગમે તેટલી મહેનતે સત્યની શોધ કરવાની અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy