SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમો : મહત્ત્વ અને પ્રકાશન ઃ ૩ હવે કેવળ તે-તે ગ્રંથનો અર્થ સમજવો એટલું જ નથી; પરંતુ એમાં રહેલ ઐતિહાસિક, સાંસ્કૃતિક, સામાજિક હકીકતોને ઝીલવાનું પણ છે. આગમો ઉપરનાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓમાં પણ આવી સામગ્રી બહુ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકે એમ છે; એના ઉપર તો આપણા દેશના અને પરદેશના ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓ મુગ્ધ છે. સંપ્રદાયથી મુક્ત બનીને ધર્મગ્રંથોને નિર્ભેળ જ્ઞાનોપાર્જન માટે જ ઉપાસના · એવી ભારે આવકારપાત્ર વ્યાપક લાગણીનો જો આપણે સદુપયોગ કરવો હોય તો જૈનોના બધા ફિરકા વિદ્યાના ક્ષેત્રમાં આવી વાડાબંધીથી મુક્ત બનતા જાય એ ખૂબ જરૂરી છે. જ્ઞાન એ જ્ઞાન જ છે; એને કોઈ સીમાડા નડતા નથી. જો આપણે જૈનો આપણા ઘરમાં જ આ વાતનો સ્વીકાર નહીં કરીએ, તો બીજાને આપણે કઈ રીતે કહી શકીશું ? તેથી સ્થાનકવાસી સંઘને માટે તો જેમ આગમો એમનાં પોતાનાં છે, તેમ એની પ્રાચીન ટીકાઓ વગેરે પણ એમની પોતાની જ સંપત્તિ લેખાવી જોઈએ. વળી નવી ટીકાઓની ૨ચના પણ કંઈ પ્રાચીન ટીકાઓનું અધ્યયન કે અવલોકન કર્યા વગર સાવ અધ્ધરથી થઈ જાય એ તો શક્ય જ નથી; તો પછી જે મૂળ છે એને જ શા માટે ન અપનાવાય ? સ્થાનકવાસી સંઘને અમે આગમોની પ્રાચીન ટીકાઓ વગેરેના સ્વીકાર માટે કહીએ છીએ તે પ્રામાણિકતા કે વાસ્તવિકતાની આ દૃષ્ટિએ, તેમ જ બંધુભાવમાં ઉત્તરોત્તર વધારો કરવાની દૃષ્ટિએ પણ. દિવાળી પહેલાં, ઑલ-ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સનું વીસમું અધિવેશન ઓરિસ્સામાં ભુવનેશ્વરમાં મળ્યું હતું. તેના પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષ હતા આપણા જાણીતા વિદ્વાન ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા. વિભાગીય પ્રમુખ તરીકેના માહિતી અને અભ્યાસથી પૂર્ણ ભાષણમાં એમણે સ્થાનકવાસી સમાજ તરફથી થઈ રહેલ આગમ-પ્રકાશનસંબંધી તેમ જ આગમોની આધુનિક ટીકા સંબંધી, અને એક જ આગમ-ગ્રંથના જુદી-જુદી સંસ્થાઓ તરફથી કરવામાં આવતાં પ્રકાશન સંબંધી નોંધ લઈ ઉપયોગી ટકોર પણ કરી છે, તે અહીં ઉદ્ધૃત કરીએ છીએ ઃ “એમાંની કેટલીકનું કામ તો સંશોધનની પદ્ધતિને અનુરૂપ જરા ય નથી. ધાર્મિક ઉત્સાહથી પ્રેરિત થઈને તેઓ આ પ્રયત્નોની પાછળ ઘણું મોટું ખર્ચ કરતા હોવા જોઈએ. જો તેઓ પોતાનાં સાધનોને સંયુક્ત કરી શકે અને પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી જેવી વિદ્વાનોના સાથવાળી સંસ્થાનો સહકાર મેળવીને કામ કરવા લાગે તો વધારે સારું થાય.” અહીં પંડિત શ્રી સુખલાલજીના નીચેના વિચારો પણ ઉપયોગી થઈ પડશે; તેઓ ‘ચાર તીર્થંક૨’ પુસ્તકમાં એના ‘વીર-પરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ' લેખમાં કહે છે ઃ Jain Education International ૪૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy