SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ જિનમાર્ગનું અનુશીલન એ સંપ્રદાયે બધાં આગમો વિચ્છિન્ન થયાનું માની લીધું છે. એટલે, અહીં, આગમ અને તેનાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓની દષ્ટિએ અમારે જે કંઈ કહેવું છે તે શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકા સાથે વધારેમાં વધારે નિકટતા ધરાવતા સ્થાનકવાસી ફિરકાને અનુલક્ષીને. અત્યારે તેરાપંથી તેમ જ સ્થાનકવાસી એ બંને ફિરકાઓનું ધ્યાન આગમસૂત્રોના પ્રકાશનની જરૂર તરફ ઠીક-ઠીક પ્રમાણમાં ખેંચાયું છે, અને આ માટે અનેક યોજનાઓ પણ વિચારાઈ કે ગોઠવાઈ રહી છે. સ્થાનકવાસી સમાજમાં તો અગાઉ પણ આગમોના પ્રકાશનની અને તે પર નવી ટીકાઓ રચવાની પ્રવૃત્તિ હાથ ધરાઈ જ છે. રાજકોટના શેઠ શ્રી દુર્લભજીભાઈ વીરાણીએ આને માટે ઘણી સારી રકમની સખાવત પણ કરી છે. સ્થાનકવાસી કૉન્ફરન્સની મુંબઈ શાખા તરફથી શ્રી. દુર્લભજીભાઈ સહિતનું એક પ્રતિનિધિમંડળ આગરામાં ઉપાધ્યાય કવિ શ્રી અમરચંદજી મુનિને આ માટે થોડા વખત પહેલાં મળી આવ્યું છે. મુનિ શ્રી અમરચંદજીએ પણ, પોતાની તબિયતની અને પોતાના સાથી મુનિવરોની અનુકૂળતા રહી, તો સૌરાષ્ટ્રમાં ઠેઠ વડિયા આવીને પણ આગમનાં સંશોધન અને પ્રકાશનને હાથ ધરી એને વેગવાન બનાવવાની તૈયારી બતાવી છે. આની સાથોસાથ અમે એ પણ જાણીએ છીએ કે કેવળ મૂળ બત્રીસ આગમોનું મુદ્રણ કરી દેવાથી અત્યારની જિજ્ઞાસાને સંતોષી શકાય તેમ નથી, તેમ જ આગમોના યથાર્થ ભાવ પણ સમજી શકાય એમ નથી એમ કેટલાક સ્થાનકવાસી મુનિવરોને પણ ઘણાં વર્ષો પહેલાં સમજાઈ ગયું હતું. અને તેથી પોતાને માન્ય આગમોની નવી સંસ્કૃત ટકા રચવા-ચાવવા તરફ તેમનું ધ્યાન દોરાયું હતું. એટલું જ નહીં, એ દિશામાં એમણે અમુક પ્રવૃત્તિ પણ આદરી હતી, અને અત્યારે પણ ચાલુ છે. સદ્ગત શતાવધાની વિદ્વાનું મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજ અને અત્યારે વિદ્યમાન મુનિશ્રી ઘાસીલાલજી મહારાજનાં નામ આ પ્રસંગે સહેજે યાદ આવી જાય છે. આ રીતે જ્યારે આગમ-પ્રકાશન અંગે અને આગમોની નવી ટીકાઓની રચના અંગે સ્થાનકવાસી સંઘમાં આવા પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે એ સંઘ આગમોની પ્રાચીન ટીકાઓને અપનાવે એ અમને આ સમયમાં અનેક રીતે લાભકારક લાગે છે. જેઓ આગમોની નવી ટીકાઓ પોતાની શક્તિથી કે પંડિતોનો સહકાર મેળવીને રચવા માગતા હોય તેમને કોઈ રોકી તો શી રીતે શકે ? પરંતુ પ્રાચીન ટીકાઓને છોડી દેવામાં આગમોના અર્થની પ્રાચીન પરંપરાને છોડી દેવાનું જોખમ રહેલું છે તે તો છે જ; ઉપરાંત એમ કરવા જતાં એ સાહિત્યમાં સચવાયેલ ભારે મહત્ત્વની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિપુલ સામગ્રીની પણ ઉપેક્ષા થાય છે એ વાત તરફ અમે સ્થાનકવાસી સંઘનું બહુ જ નમ્રતાથી ધ્યાન દોરીએ છીએ. પ્રાચીન સાહિત્યના અભ્યાસનું પ્રયોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy