SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમો : મહત્ત્વ અને પ્રકાશન ઃ ૩ (૩) આગમોની ટીકાઓ સંબંધી સ્થાનકવાસી સંઘ જરૂર વિચારે અત્યારે ભારે સંક્રમણનો યુગ છે. ઘણા જૂના ચીલા ભૂંસાઈ નવા અનેક પડી રહ્યા છે. જીવનનાં ધોરણો અને મૂલ્યોમાં પણ જબરો ફેરફાર થઈ રહ્યો છે. જૂનાં કેટલાંક મૂલ્યોને સ્થાને અનેક નવાં મૂલ્યો પ્રતિષ્ઠિત થઈ રહ્યાં છે. યુગપલટા જેવી આ સ્થિતિમાં પોતાના અસ્તિત્વને ગૌરવપૂર્વક ટકાવી રાખવું એ ભારે ચકોર અને દીર્ઘ દૃષ્ટિ, ઊંડી સૂઝ, આવડત, શક્તિ અને સમયની પરખ માગનારું કામ છે. આટલી સામાન્ય પૂર્વભૂમિકા સાથે, અત્યારે અમારે જૈન ધર્મ અને જૈન સમાજને જ ઉદ્દેશીને થોડી વાત કરવી છે. જુદા-જુદા જૈન ફિરકાઓને, અંદરથી નહીં તો બાહ્ય પરિસ્થિતિને કારણે પણ, એમ ભાસવા લાગ્યું જ છે કે આપણે સંગઠિત થવું જ જોઈએ; તો જ આપણે આપણા ઉપરના આક્ષેપોનો કે આક્રમણોનો સામનો કરી શકીશું, અને આપણી વાજબી માગણીનો સ્વીકાર કરાવી શકીશું. અલબત્ત, આ લાગણીમાં હજી કાર્યસાધક તીવ્રતા ખૂટે છે. ૪૦૯ આપણે જાણીએ છીએ કે દર્શનમૂલક તત્ત્વો, આચારમૂલક સિદ્ધાંતો, ધર્મગ્રંથો અને ધાર્મિક વિધિવિધાન કે ક્રિયાકાંડો – આટલી બાબતોનો કોઈ પણ ધર્મમાં સમાવેશ થાય છે; અને આ બાબતો વચ્ચે પરસ્પર પ્રવર્તતી ભિન્નતાઓ બે ધર્મો વચ્ચેની ભેદક રેખા બની રહે છે. આ દૃષ્ટિએ અત્યારના શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી (જેમાં શ્વે. તેરાપંથી ફિકાનો સમાવેશ સમજી લેવો) અને દિગંબર એ ત્રણે મુખ્ય જૈનફિરકાઓનો વિચાર કરીએ, તો દાર્શનિક તત્ત્વો અને આચારના સિદ્ધાંતો - એ બંને બાબતમાં ત્રણેમાં એકમત પ્રવર્તે છે એમ જરૂર કહી શકાય. જો આપણે ઇચ્છીએ, તો આ બાબત સંગઠન અને એકતા સ્થાપવામાં ખૂબ ઉપયોગી બની શકે. ધર્મગ્રંથોની દૃષ્ટિએ, શ્વેતાંબર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે પૂરેપૂરું નહીં તો પણ એકતા અને સંગઠન સાધવાની દૃષ્ટિએ કાર્યસાધક સામ્ય છે જ. જો આપણે ઇચ્છીએ, તો અત્યારના યુગમાં આ સામ્યને આપણે ઘણું વિસ્તારી શકીએ. ધાર્મિક વિધિવિધાન કે ક્રિયાકાંડ ભલે સૌ પોતપોતાની પ્રણાલિ કે પરંપરા પ્રમાણે આચરે; પણ જ્ઞાનોપાર્જન અને જ્ઞાનભક્તિની દૃષ્ટિએ આપણે હવે પછી હાથમાં હાથ મિલાવીને ચાલવાનો સંકલ્પ કરીએ, તો જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્યના વિકાસ અને પ્રસારને માટે અત્યારનો સમય ખૂબ અનુકૂળ લાગે છે. તત્ત્વો અને સિદ્ધાંતોના પ્રતિપાદનની દૃષ્ટિએ વિચારીએ તો વળી દિગંબર સંપ્રદાય સાથે પણ ભારે મોટો શાસ્ત્રભેદ પ્રવર્તતો હોવાનું માની લેવાને કારણ નથી. છતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy