SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ જિનમાર્ગનું અનુશીલના આંતપ્રવાહોનો પૂરો ખ્યાલ હોવો જરૂરી છે. વળી આગમોની પ્રાચીન અને શુદ્ધ પ્રતોની ભાળ મેળવવાનું અને ભાળ મળ્યા પછી પણ એ બધી પ્રતો એકત્ર કરવાનું કામ પણ એટલું જ કપરું છે. આ બધા ઉપરથી તો એમ કહેવાનું મન થાય છે કે ત્રણે સંઘોના સંયુક્ત પ્રયાસથી જ પૂરું થઈ શકે એવું આ કામ છે. પંજાબ જૈન મહાસભાના માસિક મુખપત્ર “વિજયાનંદમાં મુનિશ્રી નન્દીર્ષણવિજયજી દ્વારા “આગમ-સંશોધન' નામે લેખમાં આવા જુદાજુદા પ્રયત્નો થાય એના બદલે સમ્મિલિત પ્રયત્નો કરવા અંગે જે સૂચન રજૂ કરવામાં આવ્યું છે, તેનો અમલ લગભગ અશક્ય હોવા છતાં, તે ધ્યાનમાં લેવા જેવું તો જરૂર છે. તેઓ કહે છે : મારે કહેવાનું એટલું જ છે કે જે સંશોધન ચાલી રહ્યું છે એ ત્રણે ફિરકાઓ દ્વારા સમ્મિલિત રૂપે થવું જોઈએ. સંભવ છે, આમાં મંતવ્યભેદને લીધે વધારે મુકેલીઓ ઊભી થાય અને સમય અને ધનનો પણ વધુ વ્યય થાય; પણ ભાવી નવા સમાજની સામે એક આદર્શ ઊભો થશે. નહીં તો આગમોની પ્રામાણિકતા જોખમાઈ જશે.... આગમાં એક એવી નક્કર ભૂમિકા પૂરી પાડી શકે એમ છે, જેના આધારે સમયદેવતા ક્યારેક ને ક્યારેક આપણને (બધા જૈન ફિરકાઓને) એક વ્યાસપીઠ ઉપર ભેગા કરી શકે.” આ માટે વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. જેન ફિરકાઓના વ્યાપક સંગઠનની વાત બાજુએ રાખીએ, તો પણ આગમસંશોધન માટેના સમ્મિલિત પ્રયત્નનો આ મનોરથ જો અમલી બની શકે તો તેથી આગમોગ્રંથોની શુદ્ધિ અને સંપૂર્ણતાને પણ ઘણો-ઘણો લાભ થઈ શકે એમ છે. ભલે આજે આ વિચાર અવ્યવહારુ મનોરથ જેવો લાગે, છતાં એ ધ્યાન આપવા જેવો તો છે જ. આમ છતાં, અમુક સંઘ અને અમુક વ્યક્તિને આ કામ સોંપી દઈને બીજાઓએ એના દ્વારા થતા કાર્યમાં પોતાનો સંપૂર્ણ સહકાર આપીને આ કામ પૂરતું પોતાનું અલગ વ્યક્તિત્વ ગાળી નાખવું એમ કહેવાનું સાહસ અમે કરી શકતા નથી; એમ કહેવાનો અમારા આ લખાણનો હેતુ પણ નથી. સૌને આગમ પ્રત્યે સમાન ભક્તિ અને પ્રીતિ છે; એનું સુચારુ પ્રકાશન કરવામાં પ્રતિષ્ઠા પણ એટલી જ રહેલી છે. એટલે કોને ના કહી શકાય કે રોકી શકાય? તેથી આમારો હેતુ તો માત્ર વર્તમાન સ્થિતિનું ચિત્ર દોરવાનો જ છે. આ અંગે કયા સંઘે શું કરવું એની સલાહ આપવાના કાર્યને અમે અહીં અમારી મર્યાદા બહારનું માન્યું છે. (તા. ૧૭-૧૨-૧૯૬૬ અને તા. ૨૨-૬-૧૯૬૩ના લેખો પરથી સંકલિત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy