SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમોઃ મહત્ત્વ અને પ્રકાશન : ૨ ૪૦૭ (૨) સ્થાનાંગ, સમવાયાંગ, ઉપાસકદશા, નંદી, નિરયાવલિકા વગેરે સૂત્રોના અનુવાદો તૈયાર છે. (૩) જુદાંજુદાં મુનિઓ અને સાધ્વીજીઓ ઔપપાતિક (છાયા તથા અનુવાદ), સ્થાનાંગ (છાયા), ઉપાસકદશા (છાયા), આચારાંગ (પ્રથમ; છાયા તથા અનુવાદ), ઔપપાતિક (અનુવાદ), અનુયોગદ્વાર (છાયા તથા અનુવાદ), આચારાંગ ચૂલા (છાયા), નિશીથ (છાયા) અને સમવાયાંગ (છાયા) તૈયાર કરી રહ્યા છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં મૂળ આગમો તથા પંચાંગીનાં બીજાં અંગોને પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ જુદી-જુદી સંસ્થાઓ દ્વારા ચાલી રહી છે. તેમાં બધાં મૂળ આગમોને સુસંપાદિત રૂપમાં (‘ક્રિટિકલ ઍડિશન' રૂપે) પ્રગટ કરવાની શ્રી મહાવીર જૈન વિદ્યાલયની યોજના અને પ્રાકૃત ટેકસ્ટ સોસાયટીની આગમ-પંચાંગીને સમીક્ષિત આવૃત્તિ રૂપે પ્રગટ કરવાની યોજનાને મુખ્ય લેખી શકાય. આમ જોઈએ તો શ્વેતાંબર સંપ્રદાયના ત્રણે ય સંઘમાં આગમ પ્રકાશનનું જે કામ ચાલી રહ્યું અથવા શરૂ થવાનું છે તેની ઉપર જણાવેલી કેટલીક માહિતી ઉપરથી આપણને ખુશી ઊપજે એ સ્વાભાવિક છે. આના ઉપરથી ઓછામાં ઓછું એટલું તો ફલિત થાય જ છે, કે એ ત્રણ સંઘમાં આગમોની સંશોધિત-સંપાદિત આવૃત્તિઓ પ્રગટ કરવાની જરૂરનું સવિશેષપણે ભાન થવા લાગ્યું છે. આ એક આવકારપાત્ર ચિહ્ન છે. પણ, આ બાબતનો તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરીએ તો એક જ પ્રકારના આગમગ્રંથોને પ્રગટ કરવાના એકસાથે ત્રણ-ત્રણ પ્રયત્નો થાય તેમાં એકદમ હરખાઈ જવા જેવું અમને લાગતું નથી. આમ કરવામાં ધનનો જે વિશેષ વ્યય થાય છે એનો વિચાર ન કરીએ તો પણ સમય અને શક્તિનો જે વધારાનો વ્યય થાય છે એ જરૂર વિચારવા જેવો છે. મૂળ તો આગમોનું આવું ઝીણવટભર્યું સંપાદન પાઠાંતરો અને પ્રસ્તાવના-પરિશિષ્ટો સાથે, આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ કરી શકે એવા, આગમો અને એની સાથે સંબંધ ધરાવતાં શાસ્ત્રોનું મર્મસ્પર્શી અને સર્વસ્પર્શી જ્ઞાન ધરાવતા વિદ્વાનો કેટલા? આવા નિષ્ણાત વિદ્વાનોની તંગીમાં એક જ ગ્રંથ પાછળ ત્રણે સંઘના મુનિવરો કે વિદ્વાનોનાં શક્તિ અને સમય સમાંતર વપરાતાં રહે એ કોઈ રીતે ઈચ્છવા જેવું અમને લાગતું નથી. અમારી નમ્ર સમજ મુજબ તો ત્રણે સંઘોના આગમના અભ્યાસી વિદ્વાનો ભેગા મળીને અને કામની વહેંચણી કરીને પ્રયત્ન કરે તો પણ મુશ્કેલીથી પૂરું થઈ શકે એવું ભગીરથ આ કામ છે. બધાં આગમોના પાઠોને સુવ્યવસ્થિત કરવાનું કામ જરા ય સહેલું નથી; એ માટે આગમોના પાઠોનો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy