SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ જિનમાર્ગનું અનુશીલન છે. એટલે, જ્યારે આગમોને સમજવા માટે ટીકાની (ભલે પછી એ નવી રચાયેલી હોય) અનિવાર્યતા સ્વીકારીને એની રચના કરવામાં આવી જ છે, ત્યારે પછી આગમના અર્થો ઉપર પ્રકાશ પાડતાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા – એ પ્રાચીન ચાર અંગોને અમાન્ય ગણવાનો આગ્રહ નાબૂદ કે છેવટે હળવો તો થવો જ જોઈએ. સ્થાનકવાસી સંઘને માન્ય બધાં ય મૂળ આગમોને એકસરખા રૂપમાં બે ભાગમાં તૈયાર કરી આપવાનું કામ મુનિ શ્રી પુભિખ્ખુએ કર્યું છે, જે ‘સુત્તાગમે’ નામે પ્રસિદ્ધ થયેલ છે. પણ આ આવૃત્તિમાં આગમોના મૂળ પાઠોને ફેરવી નાખવા જેવાં જે કેટલાંક ચેડાં કરાયાં છે, તેથી આ આવૃત્તિ અમાન્ય થઈ ગઈ. પરિણામે, આટલાં ખર્ચ અને મહેનતને અંતે પણ, આગમોની સંશોધિત આવૃત્તિની જરૂર ઊભી જ રહી ! તેથી, થોડા વખત પહેલાં જાહેર થયા મુજબ, જૈનસંઘના એક મૌલિક ચિંતક, ઉદાર વિચારક અને સહૃદય લેખક અને સ્થાનકવાસી સંઘના સર્વપ્રિય મુનિવર કવિરત્ન ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજની દેખરેખ નીચે, આગરાની સન્મતિ જ્ઞાનપીઠે, આગમ-પ્રકાશનની એક મોટી યોજના તૈયાર કરી છે. આ યોજના પ્રમાણે નીચેની પદ્ધતિએ આગમોનું પ્રકાશન કરવાનું વિચારવામાં આવ્યું છે : (૧) શુદ્ધ મૂળ પાઠ (૨) પ્રાચીનમાં પ્રાચીન હસ્તપ્રતોને આધારે વિશેષ પાઠાંતર (૩) મૂલસ્પર્શી હિંદી ભાવાનુવાદ (૪) તુલનાત્મક, સમીક્ષાત્મક તેમ જ ઐતિહાસિક વિશેષ ટિપ્પણ (૫) પારિભાષિક શબ્દોનું વિવેચન (૬) વિશિષ્ટ શબ્દકોશ (૭) સ્વચ્છ અને સુંદ૨ મુદ્રણ આ યોજનાની સાથોસાથ એની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટેની યોજના પણ વિચારવામાં આવી છે. તેરાપંથી સંઘનું ધ્યાન પણ આગમ-પ્રકાશનના કાર્ય તરફ કેટલાંક વર્ષથી ગયું છે, અને એ માટેના પ્રયત્નો આચાર્ય તુલસીજીની દેખરેખ નીચે ચાલી રહ્યા છે. આને પરિણામે ‘દશવૈકાલિકસૂત્ર' અનુવાદ, ટિપ્પણ તેમ જ બીજી ઉપયોગી સામગ્રી સાથે, અત્યાર અગાઉ પ્રગટ થઈ ચૂકયું છે. આ પ્રકાશન એના આંતર અને બાહ્ય બંને રૂપને માટે પ્રશંસા માગી લે એવું સારું છે. ઉપરાંત ‘જૈન-ભારતી' સાપ્તાહિકના ૩૦મી ઑક્ટોબરના અંકમાં મુનિશ્રી દુલહરાજજીએ આ અંગે જે માહિતી આપી છે તે ઉપરથી જાણવા મળે છે કે (૧) ઉત્તરાધ્યયન-સૂત્ર અનુવાદ સાથે છપાઈ રહ્યું છે. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy