SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન આગમો ઃ મહત્ત્વ અને પ્રકાશન : ૧ ૪૦૩ છે. જેમ દ્વાદશાનિયચક્ર' જેવા ગ્રંથના સંપાદનથી તેઓએ જે વિદ્યા ઉપરાંત ભારતીય વિદ્યાની વિશિષ્ટ સેવા બજાવી હતી, તેમ તેઓએ પોતાના સ્વર્ગસ્થ પિતાગુરુની ભાવનાને માથે ચડાવીને, આગમસંશોધનની જે નિષ્ઠાભરી કામગીરી હાથ ધરી છે, તેથી પણ જેને વિદ્યા તેમ જ ભારતીય વિદ્યાની વિશિષ્ટ સેવા થઈ રહી છે. વળી, આગમસૂત્રો તરફની વિશેષ ભક્તિથી પ્રેરાઈને, તેઓએ બે-એક વર્ષ પહેલાં પોતાની પ્રવૃત્તિનો વધુ વિસ્તાર કર્યો છે એ જાણીને આપણને વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક છે. એની વિગત આ પ્રમાણે છે : આગમોદ્ધારક આચાર્ય આનંદસાગરસૂરિજીએ સંશોધિત-સંપાદિત કરેલ અને સુરતની ‘આગમોદય-સમિતિ એ પ્રસિદ્ધ કરેલ લગભગ બધા આગમગ્રંથો હવે અપ્રાપ્ય થઈ ગયા છે, અને આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ એકત્ર કરેલ તથા બીજી હસ્તપ્રતોમાંથી ઉપલબ્ધ થતી સામગ્રીને આધારે આગમોદય-સમિતિની આવૃત્તિમાં સુધારો-વધારો કરવાની પણ જરૂર છે. પણ આ કાર્ય ખૂબ ધીરજ, ખંત અને કુશાગ્રબુદ્ધિથી જ થઈ શકે એવું હોવાથી એ માટે તો કોઈ વિશિષ્ટ વિદ્વાનું જ જોઈએ. બે-એક વર્ષ પહેલાં, ભારતીય અને પૌર્વાત્ય વિદ્યાનાં પુસ્તકોના પ્રકાશન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી દિલ્હીની મોતીલાલ બનારસીદાસની પેઢીના માલિક અને પંજાબના જૈન અગ્રણી લાલાશ્રી સુંદરલાલજી જેને મુનિરાજશ્રી જંબૂવિજયજીને આ કાર્ય કરી આપવા વિનંતી કરી, અને આ કામ સરખી રીતે થઈ શકે એ માટે એક લાખ રૂપિયાનું એક ટ્રસ્ટ રચવાની પણ જાહેરાત કરી. સદ્ભાગ્યે, મુનિશ્રી બૂવિજયજીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો અને એ કામ શરૂ પણ કરી દીધું. આ રીતે મહારાજશ્રી અત્યારે આગમ-સંશોધનની બેવડી કામગીરીનો મોટો ભાર ઉઠાવી રહ્યા છે. દોઢેક વર્ષની કામગીરીને અંતે તેઓએ, આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજીએ સંપાદિત કરેલ અને આગમોદય-સમિતિએ પ્રકાશિત કરેલ આચાર્ય શ્રી ભદ્રબાહુસૂરિકત નિર્યુક્તિ અને શ્રી શીલાંકાચાર્યવૃત ટીકા સહિત શ્રી “આચારાંગસૂત્ર' અને શ્રી “સૂત્રકતાંગ' સૂત્ર – એ પહેલાં બે અંગસૂત્રોની સુધારાવધારા સાથેની નકલ તૈયાર કરી, એટલે મોતીલાલ બનારસીદાસની પેઢીએ એનું મુદ્રણ હાથ ધર્યું. આ મુદ્રણમાં આગમોદય-સમિતિએ પ્રકાશિત કરેલ બને આગમગ્રંથોના બ્લોકો બનાવીને છાપવામાં આવેલ છે; અને જે-જે સ્થાને જે-જે સુધારા કે ઉમેરા કરવાના છે તે એક વિસ્તૃત પરિશિષ્ટ રૂપે અલગ અપાયેલ છે. ઉપરાંત આમાં બીજાં કેટલાંક પરિશિષ્ય ઉમેરીને એની ઉપયોગિતા અને ગુણવત્તામાં વધારો કરવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy