SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ જિનમાર્ગનું અનુશીલન આ બંને આગમસૂત્રો એક જ ગ્રંથમાં સમાવી લેવામાં આવ્યાં છે, અને આ ગ્રંથ આ કાર્યનો પ્રારંભ કરાવનાર સ્વ. લાલા સુંદરલાલજી જૈનની સ્મૃતિ નિમિત્તે કરવામાં આવેલ આગમ-ગ્રંથમાળાના પહેલા ગ્રંથ તરીકે પ્રગટ કરવામાં આવેલ છે. એક મહિના પહેલાં, ગત મહાવીર-જન્મ-કલ્યાણકના પર્વદિને, શ્રી શંખેશ્વર તીર્થમાં, આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરિજી તથા મુનિશ્રી જંબૂવિજયજી આદિના સાનિધ્યમાં, આ ગ્રંથમાળાના પહેલાં ગ્રંથનો પ્રકાશનવિધિ, શેઠ શ્રી કસ્તૂરભાઈના શુભ હસ્તે થયો. અહીં જેઓના આગમ-સંશોધનની પ્રશસ્તિ કરવામાં આવી છે, તેઓ સિવાય આપણા શ્રમણસંઘમાંના અનેક આચાર્ય-મહારાજો તથા મુનિવરોએ, છેલ્લાં એકસો વર્ષ દરમિયાન આગમ-સંશોધનના ક્ષેત્રમાં નાનાં-મોટાં અનેક કાર્યો કર્યા છે અને એ ગ્રંથોને પ્રકાશિત કરવાની જવાબદારી આપણી અનેક સંસ્થાઓએ સંભાળી છે. વળી સ્થાનકવાસી તથા તેરાપંથી ફિરકામાં પણ આગમ-સંશોધનપ્રકાશનની પ્રવૃત્તિ સારા પ્રમાણમાં ચાલતી રહી છે, અને હમણાં-હમણાં એ ખૂબ વ્યાપક અને ઝડપી પણ બની છે. આ બધાની પણ કામગીરીની અમે ખૂબખૂબ અનુમોદના કરીએ છીએ. (તા. ૨૧-૫-૧૯૭૮) (૨) ફિરકાવાર અલગ આગમ-સંશોધનઃ શક્તિનો અતિવ્યય જૈનધર્મના આદર્શ અને આદેશને સમજવાનું મુખ્ય સાધન આપણાં પવિત્ર આગમ છે. એટલે આપણા માટે આ ગ્રંથોનું અસાધારણ મહત્ત્વ હોય એ સ્વાભાવિક છે. તેથી, જ્યારથી આગમગ્રંથોને મુદ્રિત કરવાની પરિપાટી શરૂ થઈ, ત્યારથી બધાં આગમો વિશુદ્ધ રૂપે સુઘડ અને સ્વચ્છ સ્વરૂપમાં પ્રગટ કરવાનો આપણો પ્રયત્ન રહે એ પણ બિલકુલ સ્વાભાવિક છે. આને લીધે શ્વેતાંબર જૈન સંપ્રદાયના મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી એ ત્રણે ફિરકાઓમાં આગમ-પ્રકાશન કેટલાક દાયકાથી હાથ ધરવામાં આવ્યું છે તે સુવિદિત છે. દિગંબર સંપ્રદાયે પણ મૂળ આગમોનો વિચ્છેદ થયો હોવાનું માનવા છતાં, પોતાના આગમપ્રાય (આગમ જેવા) પ્રાચીન ગ્રંથોનું સુચાર પ્રકાશન કરવા તરફ ઘણું પ્રશંસાપાત્ર ધ્યાન આપ્યું છે. શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયો તરફથી નોંધપાત્ર પ્રમાણમાં કરવામાં આવેલ આ પ્રકાશનોને લીધે બંને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy