SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન ગુજરાતના પ્રાચીન ભંડારો, જૈન મંદિરો અને અપાસરામાં હજી પણ કેટલાંક કાવ્યદલો અણઉકેલ્યાં પડ્યાં છે, જેનાં સંશોધનો થયાં નથી. જે કાવ્યોનો રસાસ્વાદ ગુજરાતે કર્યો છે, એમાં કેટલાંક કાવ્યો એવાં છે કે જેના કર્તા કોણ છે એ જાણી શકાયું નથી. એ કાવ્યોમાં કે બીજે સ્થળે એના કર્તાનો ઉલ્લેખ ન થયો હોવાથી સંશોધક એના પર પ્રકાશ પાડી શકચા નથી. ‘વસંતવિલાસ’ કાવ્ય એનું સબળ દૃષ્ટાંત છે. વળી કેટલાંક કાવ્યો એક જ નામ ધારણ કરનારી જુદી-જુદી વ્યક્તિએ લખ્યાં છે; એટલે કયું કાવ્ય કોનું એ જાણવું મુશ્કેલ થઈ પડે છે. કેટલાકે સમાન વિષય પર કાવ્યો રચ્યાં છે, એટલે પહેલું કોણે લખ્યું એ નક્કી કરવામાં અગવડો આવે છે. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં આપણા સંશોધકોએ પ્રાચીન ભંડારમાં જઈ, ઊંડાં અભ્યાસપૂર્ણ સંશોધનો કરી કેટલાંક અમૂલ્ય કાવ્યો ગુજરાતને ચરણે ધર્યાં છે. આમાંનાં કેટલાંક કાવ્યો માહિતીના અભાવે અપૂર્ણ રહ્યાં છે. છતાં એ કાવ્યો પરત્વે જેટલું સંશોધન અત્યાર સુધીમાં થયું છે એ પ્રાચીન સાહિત્યભંડોળમાં સારો ઉમેરો કરે છે.” ઉપરના લખાણ ઉ૫૨થી સમજી શકાય એમ છે કે સમગ્ર ગુજરાતી ભાષાની દૃષ્ટિએ જૈન મુનિવરોએ પ્રાચીન ગુજરાતીમાં રચેલી કૃતિઓનું કેટલું મહત્ત્વ છે; અને એ કારણે એના યથાસ્થિત સંશોધન-સંપાદનની કેટલી જરૂર છે. આવા પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં નાનાં-નાનાં સ્તવનો, સજ્ઝાયો કે છંદ યા સ્તુતિથી માંડીને દળદાર પુસ્તક જેવડા મોટા રાસોનો સમાવેશ થાય છે. આમાં ફાગ, વિવાહલો કે પ્રબંધનો તેમ જ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલ ગ્રંથો ઉપરના ટબાઓ કે બાલાવબોધોનો પણ સમાવેશ કરી શકાય. ઉપદેશાત્મક ભાવનાપ્રધાન પદોનો કે ગીતોનો સમૂહ પણ સારા પ્રમાણમાં મળી શકે એમ છે. આપણે જાણીએ છીએ છેલ્લાં ૧૫-૨૦ વર્ષ પહેલાંની પચીસી દરમિયાન આપણા વિદ્વાનોને પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાયેલ જૈન સાહિત્યનું સંશોધન ક૨વાનો અને તેને સુવાચ્ય પુસ્તકરૂપે પ્રગટ કરવાનો ભારે રસ જાગ્યો હતો. શરૂઆતમાં મુંબઈના જાણીતા પુસ્તક-પ્રકાશક શ્રી ભીમસિંહ માણેકે આ કામ હાથ ધર્યું હતું. ત્યાર પછી સ્વ. આ. મ. શ્રી વિજ્યધર્મસૂરિજી, સ્વ. આ. મ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી, ક્ષર શ્રી જિનવિજ્યજી મુનિ, સ્વ. શ્રી ચીમનલાલ (સી.ડી.) દલાલ, પં. લાલચંદભાઈ ગાંધી વગેરેએ આ કાર્યને વેગ આપવા ઉલ્લેખનીય પ્રયત્ન કર્યો હતો. આ ક્ષેત્રમાં વિદ્વાન્ તરીકે વિશેષ પ્રયત્ન કરવાનો યશ સ્વનામધન્ય જૈન સાહિત્યના ફકીર સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈને ફાળે જાય છે. અને પ્રકાશન-સંસ્થા તરીકેનો યશ ‘આનંદકાવ્યમહોદધિ'ના આઠ ભાગોમાં પ્રાચીન ગુજરાતી ભાષાની જૈન રચનાઓ પ્રગટ ક૨ના૨ આપણી સુપ્રસિદ્ધ ‘શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડ' નામક સંસ્થાને ૩૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy