SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૯ ૩૯૯ ફાળે જાય છે. આ ઉપરાંત અન્ય કેટલાક વિદ્વાનોએ કે સંસ્થાઓએ પણ આમાં છૂટોછૂટો ફાળો આપ્યો છે. પણ છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી આ કાર્ય તરફ આપણે કંઈક ઉદાસીન થઈ ગયા હોઈએ એમ લાગે છે. પણ હવે ગુજરાતમાં એક સ્વતંત્ર વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી)ની સ્થાપના થયેલ હોવાથી ગુજરાતી ભાષાનો વિકાસ થવાના ઘણા સંયોગો ઊભા થયા છે, ત્યારે આ કાર્ય તરફ આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ. આજે જનતામાં ઇતર ધર્મોના સાહિત્યનું પણ સમભાવપૂર્વક અધ્યયન-અધ્યાપન કરવાની ભાવના જાગૃત થઈ છે, ત્યારે બહુમૂલ જૈનસાહિત્ય સુંદર-સુવાચ્ય રૂપમાં જનતા સમક્ષ રજૂ કરવું એ આપણો ધર્મ છે. આવું કાર્ય હાથ ધરી શકે એવી આર્થિક સગવડવાળી સંસ્થાઓ કે આવું કાર્ય યોગ્ય રીતે કરી શકે એવા વિદ્વાનોનો અત્યારે તોટો નથી. (તા. ૨૭-૧-૧૯૫૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy