SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ જિનમાર્ગનું અનુશીલના કરવાનું કામ ખૂબ મુશ્કેલ છે. આજે તો આવા નિપુણ લહિયાઓની સંખ્યા દિવસેદિવસે ઘટતી જાય છે, અને નવા લહિયાઓ તૈયાર કરવા માટે કોઈ પ્રયાસ થતો દેખાતો નથી. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીએ, કુશળ વિદ્વાનોનું એક જૂથ જે કામ ન કરી શકે એટલું બધું કાર્ય એકલે હાથે કરેલું હોવા છતાં, જ્ઞાનભંડારોના રક્ષણની જ્ઞાનપ્રસારની અને સમગ્ર આગમિક સાહિત્યના ઉદ્ધારની દિશામાં હજી પણ ઘણું ઘણું કરવાનું બાકી છે. અને જો આ કાર્ય સરખી રીતે આગળ વધારવું હોય તો ઉપર સૂચવેલ છે કે છ પ્રવૃત્તિઓ આગળ ચલાવ્યા વગર આપણે ચાલવાનું નથી. આ પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલુ રહે અને વિકાસ પામે એની વિચારણા અને યોજના જૈનસંઘે – શ્રમણ સમુદાયના અને શ્રાવકસંઘના અગ્રણીઓએ – સત્વર કરવી જોઈએ. - આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી તથા તેઓના શિષ્યો, આચાર્ય શ્રી વિજયજંબુસૂરિજી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, મુનિરાજ ચતુરવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી અને એમના શિષ્યો તેમ જ બીજા પણ કેટલાક આચાર્યો કે મુનિવરોના પ્રયાસથી અનેક સમૃદ્ધ જ્ઞાનભંડારો અસ્તિત્વમાં આવ્યા છે તે રાજી થવા જેવું છે. પણ આમાંના કેટલાક ભંડારોની વિગતવાર સૂચીઓ અને એમાંની સામગ્રીનો ઉપયોગ અભ્યાસીઓ સહેલાઈથી કરી શકે એવી વ્યવસ્થા થવી બાકી છે. આ બંનેના અભાવમાં, આ ભંડારોનો ઉપયોગ કૃપણના ધનની જેમ, અતિ મુશ્કેલ કે અશકય ન બની જાય તે જોવું જોઈએ. પ્રાચીન પુસ્તકોનું સંશોધન-પ્રકાશન કરવાનો રસ પણ આપણા શ્રમણસમુદાયમાં સારા પ્રમાણમાં જોવા મળે છે, અને જૂનાં-નવાં પુસ્તકોના પ્રકાશનમાં જૈનસંઘ દર વર્ષે અઢળક દ્રવ્ય પણ ઉદારતાથી ખર્ચે છે. આમ છતાં એ બધામાં જે દૃષ્ટિ, વ્યવસ્થા અને સળંગસૂત્રતા હોવી જોઈએ તે નહીં હોવાને લીધે, આ બધા પ્રયત્નો અને ખર્ચનું જોઈએ તેવું સારું પરિણામ આવતું નથી. સમગ્ર કથનનો સાર એ છે કે હવે પછીની જ્ઞાનોદ્ધાર અને જ્ઞાન પ્રસારની આપણી કોઈ પણ પ્રવૃત્તિ કેવળ જૈનસંઘને જ લક્ષમાં રાખીને નહીં, પણ દેશ-વિદેશના વિદ્વાનોને અને અત્યારની વૈજ્ઞાનિક સંશોધન-પદ્ધતિને ધ્યાનમાં રાખીને ચાલવી જોઈએ. આ કામ જરૂર અતિકપરું છે, પણ અશકય તો નથી જ. (તા. ૨૬-૬-૧૯૭૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy